ગુજરાતના ટુકડા ધારામાં મહત્વનો ફેરફાર : ખેડૂતોને મળશે લાભ

મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે ઉમેર્યું કે, મુંબઇનો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા તેનું એકત્રીકરણ કરવા બાબતનો કાયદો મુંબઇમાં ટુકડા ધારો તરીકે ઓળખાતો હતો. ગુજરાત રાજ્ય 1960માં અસ્તિત્વમાં આવતા કચ્છ વિસ્તારોને આ ધારો લાગુ પડાયો હતો. જેનો મૂળ ઉદ્દેશ ટુકડા પાડવાના અનિષ્ટને અટકાવવાનો તથા ખેતીની છૂટી છવાઇ જમીન એકત્રિત કરીને ખેતીની નવી પદ્ધતિઓ દ્વારા ખેત ત્પાદન વધારવાનો હતો. જીરયત જમીન માટે પ્રમાણ ક્ષેત્રફળ 2 એકર અને બાગાયત/કયારી જમીન માટે પ્રમાણ ક્ષેત્રફળ 020 ગુંઠાથી ઓછા ક્ષેત્રફળની જમીન ટુકડો ગણાય છે.
પટેલે ઉમેર્યું કે, આ કાયદાને કારણ ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ કાયદામાં જરૂરી સુધારા કરાયા છે. જેના પરિણામે કોઇપણ ખેડૂત ખાતેદાર રાજ્યમાં ગમે ત્યાં ટુકડાની જમીન ખરીદી શકશે અને ટુકડો પડતો ન હોય તેવા કિસ્સામાં એકત્રીકરણ થયેલ જમીનમાં બ્લોક વિભાજનની પરવાનગી લેવાની રહેશે નહીં તે પ્રકારની તમામ જોગવાઇઓ કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાયદાને લીધે ટુકડા ધારાને કારણે પ્રમાણ ક્ષેત્રફળ કરતાં ઓછા ક્ષેત્રફળનું અલગ ખાતું બનતું નથી. જેથી સહ હિસ્સેદારોની સંખ્યા ખૂબ જ વધારે થતાં તેઓ વચ્ચેના આંતરિક પ્રશ્નો થતાં ધિરાણ, લોન, વીજ કનેકશનમાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી, ટુકડાની જમીન તેની લગોલગ આવેલા સર્વેનંબરો અથવા પેટા વિભાગના માલિક સિવાય બીજા કોઇ વ્યક્તિને વેચાણ કરી શકાતી નહોતી.
આ ઉપરાંત એકત્રીકરણ થયેલ જમીનના બ્લોક વિભાજન માટે કલેકટરની મંજૂર મેળવવાની, પૂર્વ પરવાનગી વગર જમીન વિભાજન કરી વેચી નાખતા કાયદાના પ્રશ્નો ઉભા થતા હતા તે આ સુધારાને કારણે હલ થશે. આ ધારામાં સુધારાઓ થતાં માત્ર લાગુ સર્વેનંબરવાળા ખાતેદાર ટુકડાની જમીન ખરીદી કરી શકતા હોવાથી વેચનાર ખેડૂતને પૂરતી કિંમત મળતી નહતી. જેના કારણે ખેડૂત જમીન વેચી શકતો ન હતો. આ કાયદામાં સુધારો થવાથી ખેડૂતને જમીનના પૂરતા ભાવો મળી રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
