ઇશરત કેસ: આઇબીએ ગૃહ મંત્રાલયને સીબીઆઇ વિરૂદ્ધ લખ્યો પત્ર

મંત્રાલયને લખેલા એક ઔપચારિક પત્રમાં આઇબી નિર્દેશક આસિફ ઇબ્રાહિમે કહ્યું હતું કે બનાવટી એન્કાઉન્ટર કેસમાં તેમના અધિકારીઓ વિરૂદ્ધ કેસ ચલાવવો આઇબીના અધિકારીઓના મનોબળ માટે વિનાશકારી હશે. અને તેનાથી દેશની આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આસિફ ઇબ્રાહિમ નવ વર્ષ પહેલાં થયેલા એન્કાઉન્ટરમાં આઇબીના નામ દાખલ કરવાના સીબીઆઇના પ્રયત્નો પર આઇબીએ નારાજગી વ્યક્ત કરવા માંગતા હતા અને સાથે ઇચ્છતા હત કે તે સરકાર આના પર કાર્યવાહી કરે.
આઇબી સતત કહી રહી છે કે તેના અધિકારીઓએ ફક્ત ગુપ્ત માહિતી પુરી પાડી અને બનાવટી એન્કાઉન્ટર સાથે તેને કોઇ લેવાદેવા નથી. આ ઉપરાંત આઇબી કહી રહી છે કે સીબીઆઇ પાસે બનાવટી એન્કાઉન્ટર મુદ્દે કુમાર સહિત આઇબીના અધિકારીઓ વિરૂદ્ધ કેસ ચલાવવા માટે પુરતા પુરાવા નથી. સીબીઆઇએ અમદાવાદમાં એક કોર્ટને જણાવ્યું હતું કે તે બનાવટી એન્કાઉન્ટર કેસમાં આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર સહિત ચાર આઇબીના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ કરશે.
તાજેતરમાં જ નિવૃત થયેલા કેન્દ્રિય ગૃહ સચિવ આર કે સિંહને આઇબીનો પત્ર મળ્યો છે જેને આગળની કાર્યવાહી માટે વડાપ્રધાન કાર્યાલય મોકલી દેવામાં આવ્યો છે. સીબીઆઇના નોડલ મંત્રાલય, કાર્મિક મંત્રાલય ડારેક્ટ વડાપ્રધાન મનમોહન સિંહના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
