Heeraben Modi Passes Away: પીએમ મોદીના પરિવારે લોકોને કરી અપીલ, પોતાનુ કામ ના રોકો, આ જ સાચી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીના પરિવાર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ પોતાના કાર્યક્રમોને રદ ના કરે.
Heeraben Modi Passes Away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનુ આજે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં નિધન થઈ ગયુ. પીએમ મોદીએ અમદાવાદ પહોંચી તેમની માતાના પાર્થિવ દેહને કાંધ આપી. જો કે, પીએમ નરેન્દ્ર મોદીના આજના કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા નથી. હવે આ દરમિયાન પીએમ મોદીના પરિવાર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ પોતાના કાર્યક્રમોને રદ ના કરે.

પીએમ મોદીના પરિવારે સહુને પોતાનુ કામ ના રોકવા માટે કરી અપીલ
સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદીના પરિવાર વતી લોકોને અપીલ કરવામાં આવી છે કે આ મુશ્કેલ સમયમાં પ્રાર્થના કરવા માટે અમે તમારા બધાનો આભાર માનીએ છીએ, અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે તમે મૃત આત્માને તમારી પ્રાર્થનામાં રાખો. તમારા અગાઉના નિર્ધારિત કાર્યક્રમોને ચાલુ રાખો. એ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ. તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને તેમની માતા વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ હતો, પીએમ મોદી ઘણીવાર તેમની માતાને મળવા ઘરે જતા હતા અને તેમની સાથે આત્મીય પળો વિતાવતા હતા.
વહેલી સવારે હાર્ટ આવવાની થયુ નિધન
તમને જણાવી દઈએ કે હીરાબેન મોદીને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ તેમને અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ પીએમ નરેન્દ્ર મોદી બુધવારે માતાની ખબર પૂછવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. લગભગ દોઢ કલાક સુધી અહીં રોકાણ દરમિયાન પીએમ મોદીએ ડૉકટરો પાસેથી માતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. ગુરુવારે હૉસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે હીરાબેન મોદીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ આજે સવારે અચાનક હીરાબાને હાર્ટ એટેક આવ્યો અને તેમનુ અવસાન થયુ.
પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
PM નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યુ, 'ગૌરવપૂર્ણ સદીનુ ભગવાનના ચરણોમાં વિરામ. મામાં મે હંમેશા એક ત્રિમૂર્તિ અનુભવી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.' PMએ લખ્યુ, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
