ગોડસેના બદલે ભગતસિંહ જેવું બનવાનું પસંદ કર્યો એટલે કેસ થયો : હાર્દિક પટેલ
હાર્દિક પટેલે રાજદ્રોહના કેસમાં સેશન કાર્ટમાં હાજરી આપી એક પછી એક ટ્વિટ કરીને ઊભો કર્યો વિવાદ. ભગતસિંહથી લઇને ગોડસે મામલે હાર્દિકે શું ટિપ્પણી કરી જાણો અહીં
સોમવારે, અમદાવાદમાં રાજદ્રોહ કેસ મામલે સેશન્સ કોર્ટમાં હાજરી આપવા માટે પાસ નેતા હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થવાની હતી. જો કે કોર્ટ રૂમમાં બેઠા-બેઠા જ હાર્દિકે એક પછી એક ટ્વીટ કરીને ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા. તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર ફરી બનતા, કોર્ટના ધક્કા વધી ગયા છે. જો હું ખરેખર આરોપી હોત તો હું જેલ અને કોર્ટના ચક્કરમાં નહીં, ભાજપમાં હોત. ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ રાખીશ કેમ કે સરકાર, પોલીસ અને પ્રશાસન પર તો વિશ્વાસ નથી રહ્યો. સાથે જ તેણે કહ્યું કે ભારતીય રાજકારણમાં હાલ વૃદ્ધ લોકોની જ બોલબાલા છે. અને ખૂબ જ ઓછા યુવા નેતાઓ રાજનીતિમાં આવે છે. કારણ કે ભારતની રાજનીતિનો માહોલ દિવસેને દિવસે બદલાઇ રહ્યો છે. અને સત્તાલાલચું લોકો રાજકારણમાં વધી રહ્યા છે. તેણે કહ્યું કે દેશના યુવાનો રાજનીતિમાં શોખ ધરાવે છે પણ દૂરથી જ બેસી તમાસો જુઓ છે અને બીજાનો વાંક નીકાળે છે અને તેને જઇને ઠીક કરતા ડરે છે.
गुजरात में भाजपा की दुबारा सरकार बनते ही कोर्ट के धक्के ज़्यादा हो गए,
— Hardik Patel (@HardikPatel_) January 8, 2018
अगर सच में आरोपी होता तो में जेल और कोर्ट के चक्कर में नहीं भाजपा में होता !!
न्यायतंत्र पर पूरा विश्वास रखूँगा क्यूँकि सरकार,पुलिस और प्रशासन पर तो विश्वास नहीं हैं।
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તેના અનામત આંદોલન માટે નવી પાસ સમિતિનું સર્જન કરી આંદોલનને ફરી શરૂ કર્યું છે. આ વખતને 2019ને ટાર્ગેટ કરીને શહેરી વિસ્તારોને પણ પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ શિક્ષણ જગતથી લઇને ગુજરાતના વિવિધ પ્રશ્નો પર તે હાલ સોશ્યલ મીડિયા દ્વારા પોતાનો પ્રતિભાવ રજૂ કરીને ચર્ચામાં રહી રહ્યો છે. કોર્ટના ચક્કરો પછી હાર્દિકે ટ્વિટ કરી એક બીજું પણ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે મેં ભગતસિંહ જેવું બનવાની વાત કરી તો મારી પર દેશદ્રોહ લગાવવામાં આવ્યો પણ જો હું ગોડસે બનવાની વાત કરતો તો મારી પર દેશદ્રોહ ના લાગતા. આમ હાર્દિકે આડકતરી રીતે આરએસએસને સંઘ પરિવારને ટાર્ગેટ કર્યો છે.
आज से मेरे केस कोर्ट में चलने लगे जिसमें सरकार ने कहाँ की हार्दिक आंदोलन में बार बार भगतसिंह की बात कही हैं।
— Hardik Patel (@HardikPatel_) January 8, 2018
मैंने कहाँ की मैं भगतसिंह जैसा बनना चाहता हूँ इसलिए मुझ पर देशद्रोह का मुक़दमा लगा दिया है लेकिन मैं गोडसे बनने की बात करता तो आज मुझ पर देशद्रोह का मुक़दमा नहीं लगता
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
