અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠનો ઐતિહાસિક 71મો પદવીદાન સમારોહ, રાષ્ટ્રપતિની હાજરીમાં 719 વિદ્યાર્થીઓને પદવી એનાયત
અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં શનિવારે ઐતિહાસિક 71મો પદવીદાન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી, જે આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ હતું.

કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા.
719 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત
આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 719 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પૈકી, શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર 60 પીએચડી (Ph.D.) ધારકોને પણ તેમની પદવી એનાયત થઈ હતી. ઉપરાંત, ઉલ્લેખનીય પ્રદર્શન કરનાર 9 વિદ્યાર્થીઓને ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું સંબોધન
સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'પદવી એનાયત કરવી એ આપણી પૌરાણિક પરંપરાનો એક ભાગ છે.'
રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીજીના કાર્યસ્થળ પર હાજર રહેવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, 'બાપુજીના સ્મરણ માત્રથી પ્રસન્નતાની અનુભૂતિ થઈ રહી છે.' તેમણે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની વિશેષ ઓળખનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અને શિસ્તતાના આગ્રહી હોય છે.
ગાંધીજી, સરદાર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદનો વારસો
રાષ્ટ્રપતિએ વિદ્યાપીઠના સમૃદ્ધ ઇતિહાસને યાદ કરતાં જણાવ્યું કે, 1949 સુધી મહાત્મા ગાંધીજી પોતે જ વિદ્યાપીઠના કુલપતિ રહ્યા હતા અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પણ આ સંસ્થાનું સંચાલન કર્યું હતું.
અંતે, રાષ્ટ્રપતિએ તમામ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સક્રિયપણે જોડાવા આહ્વાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંકલ્પ લેવા જણાવ્યું કે, 'આપણે સૌ ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવીશું.' તેમણે વધુમાં કહ્યું કે 'સ્વદેશી અભિયાન'માં વિદ્યાર્થીઓ સક્રિયપણે જોડાય તે સમયની માંગ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
