ગુજરાતના ખેડૂતોને પાણી નથી મળી રહ્યું
ગુજરાતના મોટાભાગના ભાગોમાં ખેડૂતોના ખેતરોને પાણી મળી રહ્યું નથી. નર્મદાનું પાણી પણ સરકાર રેલ-નીર કંપનીને આપવા લાગી છે.
ગુજરાતના મોટાભાગના ભાગોમાં ખેડૂતોના ખેતરોને પાણી મળી રહ્યું નથી. નર્મદાનું પાણી પણ સરકાર રેલ-નીર કંપનીને આપવા લાગી છે. આ કારણે ખેડૂતોમાં નારાજગી વધી રહી છે. અમદાવાદ નજીક સાણંદ જીઆઈડીસીમાં, સરકાર દરરોજ નર્મદાનું 7 કરોડ લિટર પાણી આપે છે. આ ઉપરાંત રેલ-નીર કંપનીને પણ દરરોજ 3.50 કરોડ લિટર પાણી મોકલવામાં આવે છે. તો બીજી બાજુ પાકમાં પાણી પુરવઠાના અભાવને લીધે ખેડૂતો બેહાલ છે.
દરરોજ એક લાખ બોટલ પાણી બનાવી સ્ટેશનો પર સપ્લાઈ કરી રહેલી રેલ-નીર સાણંદના પ્રોજેક્ટમાં, રેલવે મંત્રાલયની કંપની રેલ-નીર દરરોજ એક લાખ બોટલ પાણી બનાવે છે, જે રાજ્યના 20 રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ કરાવે છે. સરકારે નર્મદા નહેરમાંથી રેલ-નીરને પાણી આપવાનું શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ દરરોજ એક લાખ લિટર પાણીનો ઉપયોગ થાય છે. નર્મદા ઓથોરિટીએ દર વર્ષે 3.50 કરોડ લિટર પાણી આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

લોકો પાસે પીવાનું પાણી નથી અને સરકાર કંપનીઓમાં મોકલી રહી છે
સાણંદ વિસ્તારના ખેડૂત નાયક સાગર દેસાઈ કહે છે કે સાણંદ પાસે પીવાનું પાણી નથી, છતાં સરકારે રેલ-નિર કંપનીને પાણી આપ્યું છે. અમારા ખેડૂતો પાસે ખેતરોમાં પાણી નથી. લોકોને પીવાનું પાણી મળતું નથી. સરકારે ઉનાળાના મોસમમાં કંપનીઓને પાણી આપવાનું બંધ કરવું જોઈએ. નર્મદા ઓથોરિટીના અધિકારીનું કહેવું છે કે રેલ-નીર બોટલ ગુજરાતના 20 રેલવે સ્ટેશન પર મોકલવામાં આવે છે. જો કંપનીને પાણી આપવાનો ઇનકાર કરીએ તો રેલવે સ્ટેશનો પર પાણી મળશે નહીં. રેલ-નીર સિવાય રેલવે મંત્રાલયે બિસ્લરી પાણીની બધી કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ સ્ટેશનોને પાણીની બોટલ વહેંચવામાં આવી રહી છે
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા અમદાવાદ નજીક સાણંદ ખાતે રેલ-નીર પ્લાન્ટથી આ સ્ટેશનોને પાણીની બોટલ વહેંચવામાં આવી રહી છે જેમાં અમદાવાદ, પાલનપુર, વિરમગામ, ગાંધીનગર, મણીનગર, સાબરમતી, સુરેન્દ્રનગર, નડિયાદ, ગાંધીધામ, મહેસાણા, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, ઓખા, આનંદ, ગોધરા, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, આબુ રોડ, ઉદયપુર શહેર સામેલ છે.

ટ્રેન બે કલાકથી વધુ લેટ થઇ જાય તો, બોટલો ફ્રીમાં વહેંચાઈ છે
રેન-નીર પ્રોજેક્ટ ગુજરાતમાં 20 રેલવે સ્ટેશનો અને રાજસ્થાનમાં બે રેલવે સ્ટેશન પર પાણી પહોંચાડે છે. તમામ રેલવે સ્ટોર્સમાં, હવે રેલ-નીરની બોટલો રાખવાનું ફરજિયાત છે. જો કોઈ દુકાન અન્ય બ્રાન્ડનું પાણી વેચે છે, તો તેની પર કાર્યવાહી કરવામાં આવે છે. આ કારણોસર મુસાફરો રેલ્વે સ્ટેશનથી બીજી બ્રાન્ડનું પાણી ખરીદી શકશે નહીં. સાણંદમાં આઇઆરસીટીસી વતી એક નવો પાણી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જો ટ્રેન બે કલાકથી વધુ લેટ થાય, તો રેલવે મંત્રાલય પાણીની બોટલ ફ્રીમાં આપે છે. બોટલબંધ પાણી અને ડિસ્પોઝેબલ ગ્લાસ પણ આપવામાં આવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
