માછીમારો માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, સરકારે માછીમારો માટે આર્થિક સહાય જાહેર કરી
વાવાઝોડા સમયે માછીમારીનો વ્યવસાયમાં 17557 નાની બોટ અને 12159 મોટી બોટ રાજ્યમાં છે. માત્ર 4 નાની અને 46 મોટી બોટને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 2.65 કરોડની કિંમતના સાધન સામગ્રીને નુકસાન થયું છે.
વાવાઝોડા સમયે માછીમારીનો વ્યવસાયમાં 17557 નાની બોટ અને 12159 મોટી બોટ રાજ્યમાં છે. માત્ર 4 નાની અને 46 મોટી બોટને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 2.65 કરોડની કિંમતના સાધન સામગ્રીને નુકસાન થયું છે. જેમાં નાની બોટના નુકસાન પર 35 હજાર સુધી અથવા નુકસાનના ટકામાંથી જે ઓછુ હોય તેની રકમ સહાયરૂપે આપવામાં આવશે.

આ સાથે મોટી બોટના નુકસાન પર 5 લાખ સુધીની સહાય આપવામાં આવશે. 1 ડિસેમ્બરના રોજ થયેલા નુકસાન મુદ્દે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં આવેલા તૌકતે વાવાઝોડાને કારણે દરિયા કાંઠા વિસ્તારમાં નુકસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, ચક્રવાત તૌકતેને કારણે વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ પહેલા મત્સ્ય ઉદ્યોગ માટે રૂપિયા 105 કરોડનું રાહત અને પુનઃનિર્માણ પેકેજ મંજૂર કર્યું હતું. જેમાંથી રૂપિયા 80 કરોડના મોટા ભાગના ભંડોળનો ઉપયોગ જાફરાબાદ, શિયાલબેટ, નવા બંદર, સૈયદ રાજપરા અને સૌરાષ્ટ્રના અન્ય માછીમારી બંદરો પર ખરાબ રીતે નુકસાન પામેલા માળખાના પુનઃનિર્માણ માટે કરવામાં આવ્યો હતો.
આ સાથે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે માછીમારોની બોટ, માછીમારીની જાળ અને અન્ય સાધનોને નુકસાન થયું છે, તેમને 35,000 રૂપિયા અથવા બોટના ખર્ચના 50 ટકામાંથી જે ઓછું હોય તે વળતર મળશે. જે માછીમારોની નાની માછીમારીની બોટ સંપૂર્ણપણે નાશ પામી છે, તેમને બોટની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 75,000, બેમાંથી જે ઓછું હોય તે મળશે.
ટ્રોલર્સને નુકસાન થવાના કિસ્સામાં માછીમારોને 2 લાખ રૂપિયા અથવા બોટના મૂલ્યના 50 ટકા, જે ઓછું હોય તે વળતર મળશે. ચક્રવાતમાં જેમની બોટને નુકસાન થયું છે, તેવા તમામ માછીમારોને રાજ્ય સરકાર 2,000 રૂપિયાની રકમ પણ ચૂકવશે.
ઉલ્લેખનીય છે કે, સંબધિત સમયે તત્કાલિન મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા, વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય અને અન્ય અધિકારીઓએ ચક્રવાતને કારણે સેક્ટરને થયેલા નુકસાનનો અંદાજ કાઢવા માટે અસરગ્રસ્ત માછીમારી બંદરોની મુલાકાત લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
