સિકલ સેલ એનિમિયા સોસાયટીની રચનામાં ગુજરાત પ્રથમ

રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ માટે ગુજરાત સિકલ સેલ સોસાયટીની રચના કરીને આ અંગેની વ્યાપક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 ટકા આદિવાસીઓમાં સિકલ સેલનું પ્રમાણ જોવા મળે છે. જેમાં 13.5 ટકા સિકલ સેલ ટ્રેઇટ અને 1.5 ટકા સિકલ સેલ ડીસીઝવાળી વ્યક્તિઓ હોય છે.
રાજ્યભરમાં ઉજવણીની સાથે સમાજનાં પ્રત્યેક નાગરીક દ્વારા સિકલ સેલ એનિમિયાને રોકવા માટે અભિગમ બદલવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. સમગ્ર ભારતમાં સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ, આરોગ્ય સેવાઓ સાથે સંકલિત કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ છે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં સિકલ સેલ નિદાન, સારવાર અને સંપરામર્શ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજ્યના તમામ આદિજાતિ જિલ્લાઓનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, તથા જનરલ હોસ્પિટલોમાં આ અંગેની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક કેન્દ્રો પર નિયમિત રીતે સિકલ સેલની તપાસ, સગર્ભા મહિલાઓની તપાસ, સારવાર અને સંપરામર્શ સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાઇ છે.
આ સાથે રાજ્યમાં ખાસ સિકલ સેલ સ્ક્રિનીંગ કાર્યક્રમ હેઠળ ગુજરાતના તમામ આદિજાતિના લોકોનું વર્ષ 2015 સુધીમાં પરિક્ષણ કરવાનું પણ આયોજન ધડી કાઢવામાં આવ્યું છે. રાજ્યના તમામ આદિજાતિના લોકોનું મફત સિકલ સેલ પરીક્ષણ, પ્રી-નેટલ ડાયગ્નોસીસ દ્વારા ગર્ભસ્થ બાળકની સિકલ સેલ તપાસ તથા સિકલ સેલ ધરાવનાર માતાના ખોળે જન્મનાર નવજાત શીશુનું ન્યૂ બોર્ન સિકલ સેલ પરીક્ષણ, તથા સિકલ સેલ ધરાવનાર દર્દીને મફત રસીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં ગુજરાત સરકારના સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સિકલ સેલ એનિમિયાનું નિદાન અને સારવાર આદિવાસી વિસ્તારોમાં તેમના ધરઆંગણે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલોમાં થાય છે, અને આ કાર્યક્રમના ફળ આદિવાસી વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચ્યા એ જ આ પ્રોગ્રામની સફળતા છે. સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમને વર્ષ 2011માં ભારતના વડાપ્રધાનનો પ્રાઇમ મીનીસ્ટર્સ ઍવોર્ડ 2011 મળ્યો છે.
સિકલ સેલ એનિમિયાની સમસ્યા જે ધણા વર્ષોથી ભારતભરના આદિવાસીઓમાં હતી, અને વર્ષોથી જેની અવગણના થતી હતી, તે રોગની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત ફેબ્રુઆરી 2006થી કરવામાં આવી. ભારત દેશમાં ગુજરાત જ એવુ પ્રથમ રાજ્ય છે, જેણે સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમનો નવતર અભિગમરૂપે આરોગ્ય સેવાની પ્રાથમિક સેવામાં સંલગ્ન કરીને, અમલમાં મુકવાની પહેલ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
