PMએ જમીન વેચાવી ખેડૂતોને ટિફિનવાળા બનાવી દીધા: હાર્દિક પટેલ
ધોળકાના ત્રાસદ ગામમાં પાસ કન્વીનર હાર્દિક પટેલની સભા
પાસ અને કોંગ્રેસ વચ્ચે અનેક વિખવાદ અને વિવાદ વચ્ચે પાસ કન્વીનર હાર્દિક પટેલે ધોળકા ખાતે મંગળવારે સાંજે સભાનું સંબોધન કર્યું હતું. પાસ અને કોંગ્રેસ વચ્ચેના વિવાદ અંગે તથા પાસ કન્વીનરો, જેમને કોંગ્રેસ ટિકિટ આપે તેને પાટીદાર સમાજ સમર્થન આપશે કે નહીં, કોંગ્રેસ અને પાસ વચ્ચે થયેલ સમજૂતીમાં શું નક્કી થયું છે, એ અંગે હાર્દિક પટેલ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરનાર હતા. જો કે, તેમની બે પત્રકાર પરિષદ રદ્દ થઇ હતી અને ત્યાર બાદ અચાનક જ હાર્દિકે મંગળવારે સાંજે ધોળકાના ત્રાસદ ગામમાં જનસભાનું સંબોધન કર્યું હતું. હાર્દિકને ફૂલ-માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે જ તલવાર ભેટરૂપે આપવામાં આવી હતી.

અનામત આંદોલન શા માટે?
અહીં હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાટીદારો પરથી હજુ કેસો પાછા નથી ખેંચાયા. આંદોલન ખૂબ મજબૂતીથી ચાલે છે. છેલ્લા 2 દિવસથી મીડિયામાં તમે ઘણું જોયું હશે, એમાં બહુ મગજ દોડાવતા નહીં. આપણું એક જ લક્ષ્ય છે કે, અત્યાચાર કરનારને પાડી દેવાના છે. 14 પરિવારોની શહીદી ક્યારેય નહીં ભૂલીએ. અમે કંઇ પણ કરીએ રાજકારણનો ધબ્બો લાગી જાય છે. હું પણ જનતા છું, નેતા નહીં. આપણી કિંમત આ લોકોએ માત્ર ભજિયા અને ચવાણા પૂરતી કરી દીધી. એવું આ વખતે થવા ન દેશો. જે નેતા તમારા અધિકારની વાત કરે, એવો નેતા પસંદ કરજો. થોડા જાગૃત બનજો. અનામતની ઝૂંબેશ શા માટે? અહીં બેઠેલા કોઇના પરિવારમાંથી કોઇ મામલતદાર, તલાટી, પોલીસ ઇન્સ્પેક્ટર બન્યું છે? છોકરાને નથી ભણાવતા? આમ છતાં નોકરી નથી મળતી.
વિજય રૂપાણી પર પ્રહારો
વિજય રૂપાણી અને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, આજે રાજ્યમાં ખેડૂતો પર સૌથી મોટો બોજો પ્રોફેશનલ ટેક્સ છે. પાણી વગરના વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ખેડૂતોને 0 ટકા વ્યાજે લોન આપવામાં આવશે. કયા ખેડૂતને 0 ટકા વ્યાજે લોન મળી? પીએમ મોદીએ જમીન વેચાવીને ખેડૂતોને ટિફિનવાળા બનાવી દીધા. પરંતુ વાંક એમનો નથી. વાંક તો આપણો છે કે, આપણે આવા લોકોને વિધાનસભામાં બેસાડ્યા છે. ખેતરમાં પણ આપણે તો પાકની ફેરબદલી કરીએ છીએ, પરંતુ અહીં છેલ્લા 22 વર્ષથી આપણે આ લોકોને બેસાડ્યા છે. અમારી માંગ છે, ખેડૂતોનો હક અને અનામત. અનમાત ખાલી પટેલ કે પાટીદાર સમાજ માટે જ નથી માંગી રહ્યા. અહીં ઠાકોર સમાજના પણ ઘણા લોકો બેઠા છે. હું એમને પૂછવા માંગુ છું કે, શું તમને ઓબીસીનો લાભ મળે છે? અમે માત્ર અમારા માટે નહીં, આ તમામ સમાજ માટે લડી રહ્યાં છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
