પીએમ મોદીની યાત્રા દરમિયાન ફરજ પર તૈનાત પોલિસકર્મીએ ગોળી મારી કરી આત્મહત્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેવડિયા યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં તૈનાત રાજ્ય પોલિસના એક સબ ઈન્સ્પેટક્ટરે મંગળવારે સહકર્મીની સર્વિસ રિવોલ્વરથી પોતાની ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેવડિયા યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં તૈનાત રાજ્ય પોલિસના એક સબ ઈન્સ્પેટક્ટરે મંગળવારે સહકર્મીની સર્વિસ રિવોલ્વરથી પોતાની ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. અમરેલી પોલિસ નાયબ અધિક્ષક આર ડી ઓઝાએ જણાવ્યુ કે આત્મહત્યા કરનાર પોલિસ સબ ઈન્સ્પેક્ટરની ઓળખ ફિનાવિયા (29) તરીકે થઈ છે. તેમણે જણાવ્યુ કે પોલિસ સબ ઈન્સ્પેક્ટર નવસારી જિલ્લામાં સ્થાનિક ગુના શાખામાં તૈનાત હતા અને કેવડિયા સર્કિટ હાઉસની બહાર તેમને પ્રધાનમંત્રીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યુ કે ફિનાવિયાએ સવારે સાડા દસ વાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ઓઝાએ નર્મદા જિલ્લાના કેવડિયા પોલિસ સ્ટેશનમાં આ ઘટના અંગે એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટના એ વખતે થઈ જ્યારે મોદી કેવડિયાના પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારમાં નિર્મિત પર્યટક સુવિધાઓનુ મોનિટરિંગ કરી રહ્યા હતા. અધિકારીએ જણાવ્યુ કે ફિનાવિયાની આ કથિત આત્મહત્યાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કેવડિયામાં આયોજિત રાજ્ય સ્તરીય સમારંભના સુરક્ષા બંદોબસ્તનો તે ભાગ હતા.
પોલિસ નાયબ અધિક્ષકે કહ્યુ, 'ફિનાવિયાએ પોતાના દોસ્ત એમબી કોંકણીના હથિયાર સાથે ફોટો લેવા માટે રિવોલ્વર માંગી પરંતુ જેવુ કોંકણીએ પોતાની રિવોલ્વર ફિનાવિયાને આપી, તેણે આને પોતાના કપાટ પર મૂકી અને પોતાને ગોળી મારી દીધી.' તેમણે કહ્યુ કે ફિનાવિયાનુ સ્થળ પર જ મોત થઈ ગયુ, તેમનુ શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યુ. સરદાર સરોવર ડેમમાં જળ સ્તર મહત્તમ સ્તર સુધી પહોંચવા પ્રસંગે રાજ્ય સરકાર તરફથી આયોજિત નમામિ દેવી નર્મદે મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયામાં છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ પ્રધાનમંત્રી સાથે ઘટના સ્થળે હાજર હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
