સરકાર ખાનગી શાળાઓમાં ફી વધારો પાછો ખેંચે, ગુજરાત આપ ની માગ
આમ આદમી પાર્ટી (AAP) રાજ્ય એકમ દ્વારા ગુરુવારના રોજ ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં પાંચ ટકા ફી વધારાના નિર્ણયને રદ્દ કરવાની માગ કરી હતી અને જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચેતવણી આપી હતી.
આમ આદમી પાર્ટી (AAP) રાજ્ય એકમ દ્વારા ગુરુવારના રોજ ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં પાંચ ટકા ફી વધારાના નિર્ણયને રદ્દ કરવાની માગ કરી હતી અને જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચેતવણી આપી હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ ફી રેગ્યુલેટરી કમિટી (FRC) એ સમગ્ર રાજ્યની 82 ખાનગી શાળાઓમાં પાંચ ટકાના વધારાને મંજૂરી આપી હતી.
ગુરુવારના રોજ અમદાવાદમાં તેમની પાર્ટી કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં AAPના વરિષ્ઠ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તમે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) સાથે આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ વાલીને રાખ્યા નથી. ખુલ્લી લૂંટ હજૂ પણ થઈ રહી છે. એક સમયે જ્યારે પેટ્રોલ અને ડીઝલ, દૂધ, રાંધણ તેલ અને અનાજના ભાવ આસમાને છે, ત્યારે મધ્યમ વર્ગ માટે જીવવું વધુ મુશ્કેલ બને છે.

ભાજપ ફી વધારા સામે બોલશે નહીં. કારણ કે, તેઓ પણ આ ષડયંત્રનો ભાગ છે
સરકાર શાળાની ફીમાં થયેલા વધારાને પાછી ખેંચે તેવી માગણી કરતાં ગઢવીએ જણાવ્યું હતું કે, સરકારે ખાનગી શાળાઓને વાલીઓને અમુક દુકાનોમાંથી ખરીદી કરવાદબાણ કરતા અટકાવવી જોઈએ અને વાલીઓએ FRCનો ભાગ બનવો જોઈએ. જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો AAP ફી વધારા સામે વાલીઓ સાથેરસ્તા પર ઉતરશે. ભાજપ ફી વધારા સામે બોલશે નહીં. કારણ કે, તેઓ પણ આ ષડયંત્રનો ભાગ છે.

ભાજપે ખાનગી શાળાઓને અંકુશમાં રાખવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી
છેલ્લા ચાર વર્ષમાં રાજ્યની ખાનગી શાળાઓની ફીમાં 20 ટકાનો વધારો થયો હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, આ સાથે ભાજપના નેતાઓની મિલીભગતથી ખાનગીશાળાઓ દર વર્ષે ફીમાં વધારો કરી રહી છે.
કોરોના મહામારીના મુશ્કેલ વર્ષોમાં પણ, જ્યારે માત્ર ઓનલાઈન વર્ગો હતા, ત્યારે ભાજપે ખાનગી શાળાઓને અંકુશમાંરાખવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો, બલ્કે તેમને ફી વધારવાની સુવિધા આપી હતી.

પંજાબની કોઈપણ ખાનગી શાળા આ વર્ષે ફી વધારી શકશે નહીં
આ સાથે ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે તેમની પ્રતિક્રિયાઓ દ્વારા સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓ ન તો માતાપિતા સાથે છે અને ન તો મધ્યમ વર્ગ સાથેછે.
ભાજપે તાજેતરમાં ચાર રાજ્યોમાં ચૂંટણી જીતી હતી, જ્યારે પંજાબમાં અમે જીત્યા હતા. ફરક એ છે કે ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે જાહેરાત કરી છે કે,પંજાબની કોઈપણ ખાનગી શાળા આ વર્ષે ફી વધારી શકશે નહીં. તેઓએ શાળાઓને પણ અમુક દુકાનોમાંથી ગણવેશ અને પુસ્તકો ખરીદવા માટે માતાપિતાને દબાણ નકરવા જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
