ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં, જુઓ તસવીરો
પોરબંદર, 2 ઓક્ટોબર : પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી દેશને આઝાદી અપાવ્યા બાદ લોકહીત અને સમાજસેવા કરતા કરતા મહાત્મા બનેલા ગાંધીજીની આજે જન્મ જયંતી છે. દેશની શાળાઓ, કોલેજો, સંસ્થાઓ અને ખાસ કરીને રાજકારણીઓ મહાત્માગાંધીજીની જયંતી અચૂકપણે મનાવે છે. રાજકારણની વાત કરીએ તો દરેક પક્ષના નેતાઓ ગાંધીજીને શ્રદ્ધાંજલી અચૂકપણે આપે છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું પોરબંદર ગાંધીજીનું જન્મસ્થળ હોવાના કારણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે તેમને શ્રદ્ધાસુમન અર્પવા માટે અત્રે કીર્તિ મંદિર આવી પહોંચ્યા હતાં. તેમની સાથે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા, કથાકાર રમેશ ઓઝા, અને અન્ય વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્માગાંધીને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત તેમણે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીની સોમી જન્મ જયંતી પર શ્રદ્ધાંજલી આપી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 145મી ગાંધી જયંતિના અવસરે પોરબંદરમાં કીર્તિમંદિર ખાતે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થનાસભામાં ગાંધીજીએ સમાજજીવન અને સ્વચ્છતાના સંસ્કારોને આત્મસાત કરવા જે પ્રેરણા આપી હતી તેને અનુસરવા આહ્વાન કર્યુ હતું અને જણાવ્યુ હતું કે, વિશ્વ સમસ્તને માનવ કલ્યાણનો માર્ગ બતાવનારા મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મ જયંતિ સમગ્ર દુનિયા ઉજવે એ માટે સંકલ્પબધ્ધ બનવું પડશે.
ગાંધી જયંતિના રાષ્ટ્રીય પર્વે આજે ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરમાં વહેલી સવારે આવી પહોંચેલા નરેન્દ્ર મોદીએ નારાયણભાઇ ખેર દ્વારા તૈયાર કરાયેલ ગાંધીજી અને કસ્તુરબાની તસ્વીરોનું અનાવરણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
તેમણે સૌ નાગરિકોને રોજબરોજના જીવનમાં ખાદી ખરીદી દ્રરિદ્રનારાયણના ઘરનો દીવો પેટાવવામાં સહાયરૂપ થવા હાર્દિક અપીલ કરી હતી અને તેમણે આજે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિએ તેઓને પણ શ્રધ્ધાંજલિ આપી હતી.
આ અવસરે "કેમેરાની નજરે-બાપુ"ની સી.ડી.નું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધીજી આધુનિકતા અને વૈજ્ઞાનિકતાના પણ પુરસ્કર્તા હતા, ત્યારે ડીઝીટલ ફોર્મમાં સંકલિત થયેલ ગાંધીજીની આ તસ્વીરો નવી પેઢીમાં નવી ઉમ્મીદ જગાવશે.
આપણે આપણા ઇતિહાસનું ગૌરવ કરવામાં ઉદાસીન રહ્યા હોવાથી દસ્તાવેજીકરણની આદત પણ ધરાવતા નથી તેથી ઉત્તમ વસ્તુ, શબ્દ, સ્વર, વ્યકિત, વિચાર કે ઉત્તમ સ્મૃતિનું શું મહામુલ્ય હોય છે તે આપણે કયારેક સમજી નથી શકતા, તે માનસિકતામાંથી બહાર આવવા પર ભાર મુકયો હતો.
પ્રાર્થનાસભા દરમિયાન કિરીટભાઇ રાજપરા અને કલાકારવૃન્દે ભકિતગીતો રજૂ કર્યા હતા. સર્વધર્મ પ્રાર્થનાના સમુહગાન બાદ ગાંધીજીને પ્રિય ભજન અને રામધુનનું ગાન કરવામાં આવ્યું હતુ.
આ પ્રાર્થનાસભામાં કૃષિમંત્રી બાબુભાઇ બોખીરીયા, સંત રમેશભાઇ ઓઝા, સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભોજાભાઇ પરમાર, પ્રભારી સચિવ વિનય વ્યાસા, નગરપાલિકાના પ્રમુખ પંકજભાઇ મજીઠીયા, કલેકટર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી બી.સી.પટ્ટણી, પ્રાંત અધિકારી ચેતન ગણાત્રા સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
નરેન્દ્ર મોદીએ કીર્તિમંદિર ખાતે વિઝિટબુકમાં પૂ.બાપુને અંજલિ આપતા કરેલ નોંધ:
પૂ. બાપુની જન્મજયંતિએ પોરબંદરની આ પવિત્ર ભૂમિના દર્શન કરવાનું ફરી એકવાર સૌભાગ્ય મળ્યું. આજે શ્રી નારાયણ ખેર દ્વારા ચિત્રિત પૂજય બાપુ અને પૂજય કસ્તુરબાના ચિત્રોને ફરીવાર ખુલ્લા મુકવાનું સૌભાગ્ય મળ્યું.પાંચ વર્ષ પછી પૂજય બાપુના ૧૫૦ વર્ષ ઉજવવાનો અવસર મળશે.સમગ્ર વિશ્વમાં પૂ.બાપુના જીવન, આચાર, વિચાર, વ્યવહાર અને તેમના દર્શનને પહોંચાડી માનવજીવનના કલ્યાણનું ઉત્તમ કાર્ય કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે.આપણે સંકલ્પ કરીએ.
પૂ.બાપુજીની જન્મજયંતિએ સહજ સ્વચ્છતાનો જીવનમંત્ર ચરિતાર્થ કરીએ.
પૂ.બાપુને સાદર પ્રણામ
- નરેન્દ્રભાઇ મોદી
મોદીના ટ્વિટ અને તસવીરો જુઓ...

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
મહાત્મા ગાંધીજીના માધ્યમથી વિશ્વને વર્તમાન સંકટમાંથી મુકિતનો માર્ગ બતાવીએ.

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ વૈશ્વિક સ્તરે ઉજવાય, તે માટે પ્રયત્નશીલ બનીએ

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં

ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં
|
ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં
|
ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં
|
ગાંધી જયંતી: મોદી પહોંચ્યા મોહનના ધામમાં
ગાંધી જયંતી નિમિત્તે નરેન્દ્ર મોદી પોરબંદરમાં
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
