આસારામના ભકતોને પૂર્વ આઇ પી એસ ઑફસર ડી જી વણઝારા એ શું કહ્યું!
વિવાદાસ્પદ સંત આસારામને જોધપુર કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવતા સાબરમતી મોટેરા આશ્રમમાં આવેલા સાધકો રીતસરના ભાંગી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા.
વિવાદાસ્પદ સંત આસારામને જોધપુર કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવતા સાબરમતી મોટેરા આશ્રમમાં આવેલા સાધકો રીતસરના ભાંગી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. જો કે પૂર્વ આઇપીએસ અધિકારી અને આસારામના ભક્ત ડી જી વણઝારા આશ્રમ પર પહોંચ્યા હતા અને આશ્રમની અંદર સવારે છ વાગ્યાથી આસારામ માટે પ્રાર્થના કરી રહેલા ત્રણ હજાર સાધકો વચ્ચે પહોંચ્યા હતા અને આસારામ બાપુને થયેલી આજીવન કેદની સજા અંગે સાધકો વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાપુ નિર્દોષ છે પણ તેમની સાથે સતત અન્યાય થઇ રહ્યો છે.

છેલ્લાં પાંચ વર્ષથી બાપુ જોધપુર જેલમાં છે. સાધકો સતત આંચકો મેળવી રહ્યા છે અને વર્ષ 2008માં બે માસૂમ બાળકોની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો, બાદમાં વર્ષ 2013માં બાપુ વિરૂધ્ધ સગીર યુવતીએ બાપુ વિરૂધ્ધ માની ન શકાય તેવો આરોપ બળાત્કારનો આરોપ મુક્યો અને પોલીસે તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા. જે આંચકો હતો અને આજે કોર્ટે તેમને આજીવન કેદની સજા કરીને સૌથી મોટો આચંકો આપ્યો છે. જ્યારે વણઝારાએ આસારામની સજાની વાત કરી ત્યારે સાધકો ધુસકે ધુસકે રડવા લાગ્યા હતા. બાદમાં ડીજી વણઝારાએ તેમને સમજાવ્યા હતા અને આગામી દિવસોમાં આવનારી મુશ્કેલી અંગે અને લડત કરવા અંગે પણ વાત કરી હતી.
તેમણે સાધકોને જણાવ્યું હતુ કે આપણે હવે વધારે જવાબદારી સાથે વર્તન કરવાનું છે કારણ કે પહેલા મીડીયા અને ટીકાકારો કહેતા હતા કે બાપુ વિરૂધ્ધ કેસ ચાલે છે અને સજા થશે ત્યારે આપણે કહેતા હતા કે બાપુ વિરૂધ્ધ કેસ ચાલે છે પણ આરોપ સાબિત નથી થયો પણ, આજે આરોપ સાબિત થતા હવે વિરોધીઓના મો વધુ ખુલશે અને હવે હિંમત રાખીને આપણે બાપુ સાથે રહેવાનું છે. હજુ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના દ્વાર ન્યાય માટે ખુલ્લા છે. અને આપણે બાપુને પરત લાવીને રહીશુ. કારણ કે તેમના પર ખોટા આરોપ લગાવામાં આવ્યા છે.
લગભગ 45 મિનિટ સુધી ડી જી વણઝારાએ સાધકો સાથે વાત કરીને તેમના આઘાત અને ગુસ્સાને ઓછો કરવા પ્રયત્ન કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
