ગુજરાતમાં દેવામાફી નથી, જાણો ખેડૂતો પર કેટલું છે દેવું?
તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો નિર્ણય લીધો છે, જો કે ગુજરાતમાં ભાજપ સરકારે આવી કોઈ રાહત નથી આપી.
તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો નિર્ણય લીધો છે, જો કે ગુજરાતમાં ભાજપ સરકારે આવી કોઈ રાહત નથી આપી. અહીં સરકારનું માનવું છે કે રાજ્યના ખેડૂતો ખુશ છે, કારણે સરકાર તેમને ઘણી યોજનાઓ દ્વારા ટેકો આપી રહી છે. રાજ્યમાં ખેડૂતો એટલે મજબૂત સ્થિતિમાં છે કારણ કે ખેતીની સાથે સાથે તેઓ પશુપાલનનો વ્યવસાય પણ કરી રહ્યા છે. રાજ્ય સરકારે બીજા પણ કેટલાક દાવા કર્યા છે, પરંતુ આજે અમે તમને રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડા જણાવીશું સાથે જ જાણીશું ખેડૂતો ખુશ છે કે નહીં ?
આ પણ વાંચો: ગુજરાતમાં 6 મુખ્યમંત્રી બદલાયા, 100 કરોડનો ખર્ચ છતાંય નથી શરૂ થઈ કલ્પસર યોજના

ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે. અહીં 58.72 લાખ ગ્રામીણ પરિવાર છે અને તેમાંથી 66.9 ટકા લોકો ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયમાં છે. કુલ 16.74 લાખ પરિવારો દેવા હેઠળ છે. આ ખેડૂતોએ ખેતી માટે બેન્કોમાંથી લોન લીધેલી છે.

2016-17માં 34.94 લાખ ખેડૂતોએ લોન લીધી
તો 34.94 લાખ પરિવારમાંથી 5.43 લાખ પરિવારો પાક લોન કે ટર્મ લોન લઈ ચૂક્યા છે. જેની કુલ રકમ 54,277 કરોડ રૂપિયા થાય છે. લોનની કુલ રકમમાંથી 20,412 કરોડ રૂપિયાની લોન ખેતી માટેના સાધનો ખરીદવા લેવાઈ છે. બાકીની 33,884 કરોડની પાક લોન છે. તો રાજ્યમાં પાક લોન માટે અરજી કરનાર ખેડૂતોની સંખ્યા વધી છે. 2014-15માં 22.49 લાખ ખેડૂતોએ લોન લીધી હતી, જ્યારે 2016-17માં આ સંખ્યા વધીને 34.94 લાખ થઈ ગઈ. આ આંકડા 55 ટકા વૃદ્ધિ દર્શાવે છે. પાક માટે લેવાયેલી લોન 28,730 કરોડથી વધીને 33,864 કરોડ થઈ ચૂકી છે.

સરકાર દેવું માફ કરવા નથી ઈચ્છતી
2 વર્માં ટર્મ લોન લેનાર ખેડૂતોમાં 40 ટકાનો વધારો થયો છે. 2014-15માં 3.88 લાખ ખેડૂતોએ 10,597 કરોડ રૂપિયાની ટર્મ લોન લીધી હતી. પરંતુ 2016-17માં આ રકમ વધીને 20,412 રૂપિયા થઈ ચકી છે. ગુજરાત સરકારના નાણા પ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે સરકાર ખેડૂતોને જુદી જુદી યોજનાઓમાં આર્થિક લાભ આપે છે, એટલે ખેડૂતોની લોન વાત કરવાનો કોઈ ઈરાદો નથી.

ગુજરાતનો ખેડૂત પૈસાદાર છે કે દેવાદાર
ગુજરાતનો ખેડૂત પૈસાદાર છે કે દેવાદાર એ તો કૃષિ વિભાગના આંકડા જ દર્શાવે છે. પાછલા ત્રણ મહિનામાં 13 ખેડૂતો આર્થિક મુશ્કેલીને પગલે આત્મહત્યા કરી ચૂક્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પરથી ખ્યાલ આવે છે ગુજરાતના દરેક ખેડૂતની માસિક આવક માત્ર 3,537 રૂપિયા છે.

ખેડૂત પરિવારનો સરેરાશ ખર્ચ છે 2,250 રૂપિયા
કેન્દ્રીય મંત્રાલયના 2017ના રિપોર્ટ પરથી ખ્યાલ આવે છે કે રાજ્યમાં ખેડૂત પરિવારનો સરેરાશ ખર્ચ 2,250 રૂપિયા છે. તો આવક 5,773 રૂપિયા છે. જેનાથી ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક જાણી શકાય છે. દેશમાં ગુજરાત કરતા હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખેડૂતોની માસિક આવક વધુ છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
