વાવાઝોડાં 'નિસર્ગ'ને પગલે ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ, મહારાષ્ટ્રમાં પણ ખતરો
વાવાઝોડાં 'નિસર્ગ'ને પગલે ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ, મહારાષ્ટ્રમાં પણ ખતરો
ગાંધીનગરઃ દેશભરમાં કોરોના વાયરસ મહામારીએ તબાહી મચાવી છે, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ તરફ વધુ એક ખતરો આગળ વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે 'નિસર્ગ' નામના ગંભીર ચક્રવાતી તફાની ભવિષ્યવાણી કરી છે જે બુધવારે સાંજે દસ્તક આપી શકે છે. જેને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે મુંબઈષ થાણે, પાલઘર, રાયગઢ અને આજુબાજુના જિલ્લાઓ માટે રેડ અલર્ટ કર્યું છે. તોફાન ત્રણ જૂને રાજ્યના તટ પર પહોંચી તેવી આશંકા છે.

NDRFની ટીમો તહેનાત
અધિકારીઓએ જણાવ્યું કે NDRFની દસ ટીમને સંવેદનશીલ જિલ્લામાં તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય છ ટૂકડીને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હાલ રાજ્ય કોરોના મહામારી સામે લડી રહ્યું છે અને કેટલાય દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેવામાં વાવાઝોડાના કારણે વિજળી ગુલ ના થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું કહ્યું છે.

ગુજરાતમાં 11 ટીમ તહેનાત
NDRFએ ગુજરાતમાં 11 અને દીવ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં 1-1 ટીમની સથે રાજ્યની SDRFની પાંચ ટીમ તહેનાત કરી છે. આ ઉપરાંત વધારાની ટીમો પાસેના ક્ષેત્રોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આી છે. બધા જ સમુદ્રી તટોને સાર્વજનિક રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાતથી કેટલું દૂર છે?
ભારતીય હવામાન ખાતા મુજબ લૉ પ્રેસરનું ક્ષેત્ર અરબી સમુદ્ર અને લક્ષદ્વીપના દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય વિસ્તારમાં બન્યું છે. હાલ તે ગવાથી 330 કિમી દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 570 કિમી દક્ષિણ-દક્ષણ પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતના (South Gujarat) સુરતથી 800 કિમી દક્ષિણ પશ્ચિમની દૂરી પર છે. ચક્રવાતી તોફાનમાં તબદીલ થયા બાદ 2 જૂનની સવાર સુધી તે ઉત્તર તરફ વધે તેવી સંભાવના છે. તોફાન રાયગઢના હરિહરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ પર 3 જૂનની સાંજે ટકરાય તેવી સંભાવના છે. જેને પગલે બંને રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બંને રાજ્યોના દરિયાકાંઠે 12થી 16 ફીટ ઉંચી લહેરો ઉઠવાનું પણ અનુમાન છે.

ગુજરાતના 7 જિલ્લા હાઈ અલર્ટ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરુચ, નવસારી અને સૌરાષ્ટ્રનાના બે જિલ્લા ભાવનગર અને અમરેલીના નાગરકોને 3 અને 4 જૂને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. સોમવારે ભાવનગર જિલ્લામાં અને અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
