Cyclone Biparjoy: વાવાઝોડાએ અનેક જગ્યાએ વરસાવ્યો કહેર, વાંચો અત્યાર સુધીની 10 અપડેટ
Cyclone Biparjoy: અરબ સાગરમાં સર્જાયેલુ શક્તિશાળી વાવાઝોડુ 'બિપરજોય' ગુરુવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ત્યારથી તે ત્યાં કહેર વરસાવી રહ્યુ છે. અરબી સમુદ્રને અડીને આવેલા કચ્છ જિલ્લાની હાલત પણ ખરાબ છે, જ્યાં જનજીવન સાવ અસ્તવ્યસ્ત બની ગયું છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અનુસાર, ગુરુવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન ત્રાટકતાં ઓછામાં ઓછા 23 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, તેમજ 950 ગામોમાં વીજળી ડૂલ છે.

ચક્રવાત બિપરજોય 2.30 વાગ્યા સુધી નલિયાથી 30 કિમી ઉત્તરે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર કેન્દ્રિત રહ્યું હતું. તે હવે ગુજરાતમાં નબળું પડી ગયું છે, પરંતુ તેના કારણે દક્ષિણ રાજસ્થાનમાં હવામાન ખરાબ થવાની આશંકા છે.
ચક્રવાત સંબંધિત 10 મોટી અપડેટ્સ
1. ગુરુવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ જખૌ ખાતે બિપરજોયનું લેન્ડફોલ થયું હતું. તે દરમિયાન પવનની ઝડપ 115થી 140 કિમી પ્રતિ કલાકની હતી.
2. જોરદાર પવનના કારણે ઈલેક્ટ્રીક વાયર અને થાંભલાઓ ઉખડી ગયા, જેના કારણે માળીયા તાલુકાના 45 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. જો કે, 11 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. દરિયાકાંઠાના ગ્રામીણ અને રણ વિસ્તારોમાં 300થી વધુ વીજ થાંભલા ધરાશાયી થયા હતા.
3. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. પીએમએ ગીરના જંગલમાં રહેતા સિંહોની સુરક્ષા અંગે પણ ચર્ચા કરી હતી.
4. ચક્રવાતી તોફાન ગુરુવારે સાંજે જખૌ બંદર નજીક દરિયાકાંઠે ત્રાટક્યુ હતુ, તે પછી નબળું પડ્યું હતું. આ પહેલા શુક્રવારે બપોરે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
5. ગુજરાતના રાહત કમિશનર આલોક સિંઘના જણાવ્યા અનુસાર, 24 પ્રાણીઓ મૃત્યુ પામ્યા, જ્યારે 524 વૃક્ષો પડી ગયા. જેના કારણે 940 ગામોમાં વીજળી નથી.
6. માંડવીમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારે પવનને કારણે માંડવી રોડ તેમજ માંડવી શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
7. ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાંથી દોડતી લગભગ 99 ટ્રેનો રદ કરવામાં આવશે અથવા ટૂંકા સમય માટે રદ કરવામાં આવશે.
8. ગુજરાત સરકારે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાંથી લગભગ 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
9. પાકિસ્તાને દક્ષિણ-પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાંથી તેના 82,000 લોકોને બહાર કાઢ્યા છે.
10. તોફાનના કારણે કરાચીમાં પૂર અને ભારે વરસાદની સંભાવના છે. ત્યાં પણ પ્રશાસને ઘણી વ્યવસ્થા કરી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
