'કોઇ ગાંધી વિચારને વરેલા આ ગાંધી માર્ગ છોડવાની વાત નહીં સાંખી લે'

સમરોહમા ઉપસ્થિત મેદનીને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, આ પહેલા જેટલી સરકાર આવી તેમણે ગુજરાત સ્થાપના દિવસને જોઇએ તેટલું મહત્વ આપ્યું નથી. આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને અમારી સરકારે તેને મહત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં આવ્યા બાદ ઘણી સરકારો રચાઇ, પરંતુ તેઓએ ક્યારેય આ દિવસની ઉજવણી કરવા માટે મોકળુ મન રાખ્યું નહીં. તેઓએ ગુજરાત માટે જાન ન્યોછાવર કરનારા સપુતોને અને ઇન્દુ ચાચાના યોગદાનને યાદ કર્યા નથી. તેમને કેટલીક રાજકીય મર્યાદાઓ આવુ કરવા માટે રોકતી હતી, પરંતુ છેલ્લા એક દશકાથી લોકો પહેલી મેના રોજ મહાગુજરાત આંદોલન, શહિદો અને આ આંદોલનનું નેતૃત્વ કરનારાઓને યાદ કરે છે. જે લોકોને ગુજરાતમાં કંઇક કરવાની પ્રેરણા જગાવી જાય છે. લોકોમાં એવી લાગણી જન્મે છે કે મારે પણ ગુજરાત માટે કંઇક કરવું જોઇએ.
ગુજરાત ગૌરવ દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં નવસારી જિલ્લાની જનતાના ઉત્સવ ઉમંગમાં સહભાગી બનવા આવેલા મોદીએ ઉજવણીનો પ્રાંરભ દરિયાકાંઠે દાંડીના ઐતિહાસિક ગાંધી સ્મારકની પૂનિત ભૂમિ ઉપરથી કર્યો હતો. જે સ્થળે દાંડીમાં મીઠાના સત્યાગ્રહ માટે મહાત્મા ગાંધીબાપુ રોકાયેલા ઐતિહાસિક સૈફી વિલામાં ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.
દાંડીકૂટના મૂળ માર્ગનો સમાવેશ કરીને દાંડી-સત્યાગ્રહની 75મી જયંતીએ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રીએ રૂ 2500 કરોડના દાંડી હેરિટેજ પ્રોજેક્ટ હાથ ધરવાની જાહેરાત વર્ષ 2005માં કરી હતી, તે સમયે આ 75મી જયંતીમાં આવેલા તમામ મહાનુભાવોને ગુજરાત સરકારે આવકાર્યા હતા અને દાંડી હેરિટેજ પ્રોજેક્ટની જાહેરાતને વધાવી લીધી હતી, પરંતુ અત્યાર સુધી સાત વર્ષ વીત્યા છતાં વિશેષ પ્રગતિ આ પ્રોજેક્ટમાં થઇ નથી અને હવે કેન્દ્ર સરકાર નાણાકીય સંસાધનોના અભાવનું આગળ ધરીને, ગાંધીજી સાબરમતી આશ્રમથી દાંડી સુધી જે દાંડીકૂચના ઐતિહાસિક માર્ગે સત્યાગ્રહીઓ સાથે પહોંચ્યા હતા તે દાંડી માર્ગને છોડીને અન્ય હયાત માર્ગોનો સમાવેશ કરવા રાજ્ય સરકાર પાસે સંમતિ માગે છે, પણ ગુજરાત કોઇ સંજોગોમાં દાંડીકૂચના ઐતિહાસિક ગાંધીમાર્ગને છોડવા તૈયાર નથી.
શુ આપણે આપણી ઐતિહાસિક આઝાદીની સત્યાગ્રહ લડતનું નેતૃત્વ કરનારા મહાત્મા ગાંધીજીના માર્ગની ધરોહરથી ચલિત થઇ શકીએ ખરા એવો વેધક પ્રશ્ન આપણે ગાંધી વિચાર ધારાને વરેલા સહુ કોઇને પૂછ્યો હતો અને કેન્દ્ર સરકારને દાંડીની આ ઐતિહાસિક ભૂમિ ઉપરથી લલકાર કર્યો હતો કે દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર ગુજરાતના ગાંધીમાર્ગથી જ નહીં પણ ગાંધી વિચારધારના રસ્તેથી ચલિત થઇ ગયેલી છે. ભારતના સ્વાભિમાનથી ખમીરવંતી દેશની જનતા આ વાત સાંખી લેશે નહીં એવી ચેતવણી તેમણે આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
