શું ગુણોત્સવના વિરોધ કરવા માટે બાળકોના ખભે બંદૂક મૂકવી યોગ્ય છે?
આજે એક ચેનલ પર માંડ બાર વર્ષના બાળકને કહ્યું કે "અમે ગુણોત્સવનો બહિષ્કાર કરીએ છીએ. અને ત્રણ દિવસ સુધી સ્કૂલમાં ભણવા નહીં જઇએ" ત્યારે મારા એક સવાલ થયો કે શું ગુણોત્સવના વિરોધ કરવા માટે બાળકોના ખભે બંદૂક મૂકવી યોગ્ય છે?
કોઇ પણ જાતિના લોકોને પોતાના હકની માંગણી કરવી, વિરોધ કરવો તે તેનો સંવિધાનિક હક છે. એક લોકશાહીના નાગરિક તરીકે તેનો અધિકાર છે તે વાત બાળકોના ભવિષ્ય બગાડવું તેમને ખોટા માર્ગે દોરવા કેટલું યોગ્ય છે. જો તમે નાનપણથી બાળકના કુમળા મનમાં તે ભાવ મૂકો દો કે તમામ વસ્તુઓ મેળવવા માટે વિરોધ જ એક માત્ર માર્ગ છે તો તે મોટો થઇને કેવા નાગરિક બનશે?
એટલું જ નહીં ગુણોત્સવના વિરોધના નામે અનેક સ્કૂલોને આજે બંધ કરી દેવામાં આવી. તેમાં તાળા લગાવી દેવામાં આવ્યા અને લોકોએ આવા ફોટા પણ સોશ્યલ મીડિયા પર મૂક્યા છે કે તેમણે સ્કૂલ બંધ કરાવી હોય. જાણે સ્કૂલ બંધ કરાવીને તેમણે કોઇ મહાન કામ કર્યું ના હોય!

શું છે ગુણોત્સવ?
નોંધનીય છે કે આ આ છઠ્ઠો ગુણોત્સવ કાર્યક્રમ છે. જેની શરૂઆત આનંદીબેન રાજકોટના બેડલા ગામથી કરી છે. ગુણોત્સવનો હેતુ વિદ્યાર્થીની ગુણવત્તા સુધારવાનો છે. દરેક સ્કૂલને ગ્રેડ આપવામાં આવે છે. અને તેના બીજા વર્ષે તે ગ્રેડથી આગળ વધવાનું હોય છે.

ગુજરાતની સરકારી શાળાઓની છે બત્તર હાલત
તે વાત તો સાચી છે કે ગુજરાતની અનેક શાળાઓ વિદ્યાર્થીના બેસવા યોગ્ય પણ નથી. વળી શિક્ષકોની પણ તંગી છે. કોઇ પણ શિક્ષકને ગામડામાં નથી ભણાવવું અને સરકારી પગાર પણ નથી વધારતી. જે જોતા આ વાતનો વિરોધ થવો જોઇએ તે વાત યોગ્ય છે.

ક્રોંગ્રેસ અને પાટીદાર સમાજે કર્યો વિરોધ
ગુજરાતના અનેક ગામડામાં રાજ્ય સરકારના ગણોત્સવ કાર્યક્રમના વિરોધ પેઠે ક્રોંગ્રેસ અને પાટીદાર સમાજે કાળા ઝંડા દેખાડીને અને થાળી વેલણ વગાડીને આ કાર્યક્રમનો વિરોધ કર્યો છે.

રાજકારણના નામે બાળપણને ના બગાડો!
ત્યારે આ રાજકીય કાવાદાવા અને વિરોધમાં નાના બાળકો અને ભણતરને લાવવાની વાત યોગ્ય નથી. અનમાત આંદોલન તેની જગ્યા, લોકશાહી તંત્રના નાગરિક તરીકે વિરોધ કરવાનો તમારો હક એક જગ્યા તે તમામ વાત સાચી પણ બાળકો તે વાત માટે પ્રેરિત કરવા કે તે સ્કૂલે ભણવા ના જાય, સ્કૂલોને બંધ કરાવવી અને તેમને તે શીખવવું કે વિરોધ કરીને જ તમામ વસ્તુઓ મળશે તે વિચાર સદ્દનતર અયોગ્ય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
