Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી 'જનજાતીય ગૌરવ યાત્રા'ને કરાવ્યું પ્રસ્થાન
Gujarat News: 7થી 13 નવેમ્બર દરમિયાન આદિજાતિ વિસ્તારોમાં 1378 KMની યાત્રા, PM મોદીની પ્રેરણાથી આદિવાસીઓને વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવાનો હેતુ.

CM ભૂપેન્દ્ર પટેલે આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે યોજાઈ રહેલી જનજાતીય ગૌરવ રથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીએ આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી સમાજને ભારતની આ વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યો છે.
7થી 13 નવેમ્બર: બે રૂટ પર યાત્રાનું વિશેષ આયોજન
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે 1થી 15 નવેમ્બર 2025 દરમિયાન 'જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે:
- તારીખ: 7થી 13 નવેમ્બર સુધી CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય ગૌરવ રથ યાત્રા કરશે.
- રૂટ: કુલ 1378 કિલોમીટરના બે મુખ્ય રૂટ પર આ યાત્રાનું વિશેષ આયોજન કરાયું છે:
- રૂટ નં-1: ઉમરગામથી એકતાનગર સુધી (665 કિમી)
- રૂટ નં-2: અંબાજીથી એકતાનગર સુધી (713 કિમી)
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત માઁ અંબાજીના ચરણોથી જનજાતિય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર – આ બે રૂટ પર આયોજિત યાત્રામાં ભગવાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓને રજૂ કરવામાં આવશે.
આદિજાતિ કલ્યાણ માટેની વિવિધ… pic.twitter.com/axlykkio6o
આદિવાસીઓને વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા
CMએ વધુમાં જણાવ્યું કે PM મોદીએ 2011થી ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની નવી પરંપરા શરૂ કરી છે.
"આઝાદીની લડતમાં ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં અગ્રેસર રહેલા આદિવાસીઓને PM મોદીએ ભારતની આ વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે."
સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન
યાત્રા દરમિયાન આદિજાતિ વિસ્તારોમાં જનજાગૃતિ અને સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરાશે.
- સ્વાગત: જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે, ત્યાં લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાશે.
- માહિતી: રાત્રિ રોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવન પર આધારિત નાટકો, નિદર્શન અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને આપવામાં આવશે.
- સેવા: જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો યોજાશે.
આ યાત્રાનો મુખ્ય હેતુ બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજને ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત કરાવવાનો અને આદિજાતિ સંસ્કૃતિનું ગૌરવ વધારવાનો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
