ગાંધીનગરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ
Gujarat News: ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર રાજ્યમાં 'ગુડ ગવર્નન્સ ડે' (સુશાસન દિવસ) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના 'ચ-3' સર્કલ ખાતે અટલજીની નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જનસેવા માટે ટેકનોલોજીનો ઉપયોગ
પ્રતિમાના અનાવરણ બાદ CMએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ની અનેક નાગરિકલક્ષી સેવાઓ અને પોલિસીઓનું લોન્ચિંગ કર્યું હતું. CMએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના 'નાગરિક દેવો ભવ'ના મંત્રને સાર્થક કરવા માટે સરકાર ટેકનોલોજીના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે.
કાર્યક્રમની મુખ્ય વાતો
- સ્વાગત ઓનલાઇન: CMએ 'સ્વાગત' ઓનલાઇન જેવી ફરિયાદ નિવારણ પદ્ધતિની પ્રશંસા કરતા કહ્યું કે, લાંબા ગાળાના પ્રશ્નોના સુચારુ નિકાલ માટે ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
- પ્રો-પીપલ ગવર્નન્સ: સુશાસન ત્યારે જ સફળ ગણાય જ્યારે દરેક યોજનાનો લાભ લાયક વ્યક્તિ સુધી નિશ્ચિતપણે પહોંચે.
- ટીમ ગુજરાતને બિરદાવી: રાજ્યમાં પ્રો-પીપલ ગવર્નન્સ સાકાર કરવા બદલ CMએ વહીવટી તંત્રના કર્મયોગીઓનો આભાર માન્યો હતો.
નાગરિકોને ધક્કા નહીં ખાવા પડે: હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ નાગરિક પોતાની સમસ્યા લઈને સરકારી કચેરીએ આવે ત્યારે તેને વારંવાર ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
- સંપૂર્ણ સમાધાન: ટેકનોલોજીના ઉપયોગથી એક જ સમયે સમસ્યાનું સંપૂર્ણ નિવારણ આવે તે સરકારની પ્રાથમિકતા છે.
- હકારાત્મક અભિગમ: ટેકનોલોજીની સાથે સરકારી કર્મચારીઓનો નાગરિકો પ્રત્યેનો અભિગમ પણ હકારાત્મક રહે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
સમગ્ર વર્ષ દરમિયાન ઉજવાશે સુશાસન
રાજ્ય સરકાર માત્ર 25મી ડિસેમ્બરે જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન સુશાસનની કાર્યસંસ્કૃતિ જળવાઈ રહે તે માટે કટિબદ્ધ છે. અટલજીની પ્રતિમા હવે ગાંધીનગરના મુખ્ય માર્ગો પર નાગરિકોને સુશાસન અને નિષ્ઠાની પ્રેરણા આપતી રહેશે.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
