કેજરીવાલે 3 જીવિતા RTI કાર્યકર્તાઓને આપી દિધી શ્રદ્ધાંજલિ
અમદાવાદ, 10 માર્ચ: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે અહીં પોતાની રેલીમાં ચાર આરટીઆઇ કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપી દિધી હતી જ્યારે તેમાંથી 3 જીવિત છે. અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સમાજના હિત માટે શહીદ થનાર અમિત જેઠવા, ભાનૂ દેવાની, જયસુખ ભમભાનિયા અને મનીષા ગૌસ્વામીનું નામ લીધું.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું હતું કે સૌથી પહેલાં આ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું જેમણે ગત 10 વર્ષોમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડતાં પોતાના પ્રાણ ત્યાગ કરી દિધા. તેમણે આ બધાને શ્રદ્ધાંજલિ આપી હતી. ચાર દિવસના પ્રવાસ બાદ અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો અને એક રેલીને સંબોધિત કરી.
તેમણે જે ચાર લોકોના નામ લીધા તેમાંથી ફક્ત અમિત જેઠવાનું મોત થયું છે. અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ ગુજરાત હાઇકોર્ટની સામે કથિત રીતે ખનન માફિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પરંતુ અન્ય ત્રણ જીવિત છે. પોરબંદર જિલ્લાના એક વકીલ ભાનૂ દેવાની (64)એ કહ્યું હતું કે મારી પર ત્રણ વર્ષ પહેલાં હુમલો થયો હતો પરંતુ હવે મારી તબિયત સારી છે અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મારી લડાઇ ચાલુ છે.

ભાનૂ દેવાનીએ કહ્યું હતું કે હું જલદી જ આપમાં જોડાવવા જઇ રહી છું. અરવિંદ કેજરીવાલ જેવા આરટીઆઇ કાર્યકર્તાઓ સારું નેતૃત્વ આપી શકે છે. પોરબંદરમાં ભાનૂ દેવાનીને 25 જુલાઇ 2011ના રોજ પાંચ છ લોકોએ કારથી બહાર કાઢીને પેટમાં ચાકુ મારી દિધું હતું પરંતુ તે બચી ગઇ હતી.
જયસુખ ભમભાનિયા (42)એ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે 24 ઓગષ્ટના રોજ 2011ના રોજ હુમલામાં હું જીવતો બચી ગયો. મારા દ્વારા એક રેસ્ટોરન્ટના નિર્માણ અને આરટીઆઇ દ્વરા બાઇક વેન્ડરોને નકલી લાયસન્સ આપવા સંબંધી આરટીઆઇ અરજી દાખલ કરવામાં આવતાં નિષ્ફળ એસિડ હુમલા બાદ તલવાર અને પાઇપો વડે હુમલો થયો. મનીષા ગૌસ્વામી પર 21 સપ્ટેમ્બર 2011ના રોજ હુમલો થયો હતો કારણ કે તેમને એક ખાનગી ફાર્મ દ્વારા પર્યાવરણ મંજૂરી લેવા સંબંધિત જાણકારી માટે અરજી કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
