ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી તાકાતથી લડશે AAP, 2 એપ્રિલે 2 રાજ્યના મુખ્યમંત્રી રોડ શો કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી તાકાતથી લડશે AAP, 2 એપ્રિલે 2 રાજ્યના મુખ્યમંત્રી રોડ શો કરશે
દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને મળેલા જનતાના પ્રતિસાદ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત હાંસલ કરી હતી. હવે પાર્ટી ગુજરાતમાં બમણા જોશ સાથે ચૂંટણી પ્રચાર કરવાની તૈયારીમાં છે. અમદાવાદમાં 2 એપ્રિલે કેજરીવાલ અને ભગવંત માનના રોડ શોનો પ્રસ્તાવ મૂકાયો છે. ત્યારે બે રાજ્યના મુખ્યમંત્રી રોડ શો દ્વારા જનતાની વચ્ચે આવશે.

પંજાબમાં કોંગ્રેસને સત્તાથી દૂર કરનાર આમ આદમી પાર્ટી હવે ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈ આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. આ દિવસે આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકાત ઝોંકી દેવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં 2 એપ્રિલે રોડ શો કરવા જઈ રહ્યા છે. જેમાં તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રહેશે.
આમ આદમી પાર્ટીના સૂત્રોનું માનીએ તો પંજાબમાં સટીક રણનીતિ નક્કી કરવા પાછળનો રોલ સંદીપ પાઠકનો હતો. જેમણે ત્યાં સર્વે અને ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા નિભાવી. હવે પંજાબમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત બાદ સંદીપના ફોર્મ્યૂલાને આમ આદમી પાર્ટી માટે ફિટ માનવામાં આવી રહ્યા છે. એવામાં પાર્ટીના પ્રમુખ નેતા હવે પાઠક ભૂમિકાને નજરઅંદાજ કરવા નથી માંગતા. માનવામાં આવી રહ્યું છે કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ આમ આદમી પાર્ટી પોતાની સફળતા માટે તેમની રણનીતિ પર ભરોસો કરશે. માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર મહિના સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ થઈ શકે છે. જેને જોતાં રાજનૈતિક દળ સક્રિય થઈ ગયા છે. દિલ્હીના સીએમ કેજરીવાલના 2 દિવસીય ગુજરાત પ્રવાસની વાત કહેવામાં આવી રહી છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યની મોટી હસ્તીઓની મુલાકાત લેશે.
આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીને જોતાં પ્રચાર પ્રસારની પૂરી તૈયારીઓ કરી લીધી છે. પાર્ટીએ 9 રાજ્યો માટે નવા પદાધિકારીઓની નિયુક્તિ કરી. જેમાં એવાં બધાં જ રાજ્યો સામેલ છે જેમાં આ વર્ષે અથવા તો 2023માં વિધાનસભા ચૂંટણી થનાર છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણી પર નજર બનાવીને બેઠી છે. હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢના આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં દિલ્હીના બુરાડીથી ધારાસભ્ય સંજીવ ઝાને આમ આદમી પાર્ટીએ અનુસૂચિત જનજાતી બહુલ રાજ્યમાં પાર્ટીના રાજનૈતિક મામલાના પ્રભારી બનાવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
