ગણપત વસાવાના સમર્થનમાં વાંકલ ગામે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે સભા સંબોધી!
કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત માંગરોળ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગણપત વસાવાના સમર્થનમાં વાંકલ ગામ ખાતે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેર સભાને સંબોધી હતી.
કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત માંગરોળ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગણપત વસાવાના સમર્થનમાં વાંકલ ગામ ખાતે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેર સભાને સંબોધી હતી.

માંગરોળ તાલુકાના વાંકલ ગામે યોજાયેલ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પાર્ટી ઉપર આંકડા પ્રહારો કરતાં જણાવ્યું કે, કોંગ્રેસે માત્ર ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી રાજ કર્યું છે, જ્યારે ભાજપે વિકાસ સુશાસનના મુદ્દે રાજનીતિ કરી લોકોને સારું શાસન આપ્યું છે. હાલમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ પુર જોસમાં જામ્યો છે ત્યારે મતદારોને આકર્ષવા માટે ઠેર ઠેર સંમેલન યોજાઇ રહ્યા છે.
વાંકલ ગામે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. માંગરોળ ના ધારાસભ્ય અને બેઠકના ઉમેદવાર ગણપત વસાવાએ કોંગ્રેસ પાર્ટી ઉપર આંકરા પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસની બહેરી મૂંગી સરકારે આદિવાસીઓનો અવાજ તેના શાસનમાં સાંભળ્યો નથી ભાજપે આદિવાસી સમાજને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિકાસ કાર્યો થયા છે અનેક યોજનાઓનો લાભ આદિવાસી સમાજને મળ્યો છે.
વિજય વિશ્વાસ સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ટુકડે ટુકડે ગેંગ સાથે ફરી ભારત જોડો યાત્રા કરે છે જે લોકો દેશના ટુકડા કરવા માંગે છે તેવાને સમર્થન કરી રહ્યા છે. કોંગ્રેસનો ઇતિહાસ ભાગલા પાડો અને રાજ કરોનો છે. વિકાસની રાજનીતિ સુશાસનની રાજનીતિ માત્ર ભાજપ પક્ષ કરે છે અને સારા શાસનને કારણે જ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ પાર્ટીનું શાસન છે. ગુજરાતના સમજુ મતદારો કોંગ્રેસને જાકારો આપશે અને ફરી ગુજરાતમાં ભાજપની મજબૂત સરકાર બનશે આ સંમેલનમાં સમગ્ર માંગરોળ તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપ પક્ષના કાર્યકરો અને આમ જનતા ઉમટી પડી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
