Sarangpur Hanuman Temple : સાળંગપુર ખાતે હનુમાનજી 54 ફુટ ઉંચી પ્રતિમાનું અમિત શાહે કર્યું અનાવરણ
Sarangpur Hanuman Temple: આજે ચૈત્રી પૂનમના રોજ સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભગવાન હનુમાનની 54 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
આ ઉપરાંત અમિત શાહે સાળંગપુર હનુમાન મંદિરમાં શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ ભોજનાલય 7 એકરમાં ફેલાયેલું છે.

સાળંગપુર હનુમાન મંદિરમાં બનેલી આ પ્રતિમા અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂર સાળંગપુર હનુમાન મંદિર પરિસરમાં બનાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરના દર્શન કરવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે. મળતી માહિતી મુજબ પંચધાતુથી બનેલી 30 હજાર કિલો વજનની આ મૂર્તિ સાત કિમી દૂરથી જોઈ શકાય છે.
આ સિવાય આ પ્રતિમાની કિંમત છ કરોડ રૂપિયા છે. કષ્ટભંજન હનુમાન મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1905માં કરવામાં આવી હતી. તેનું નિર્માણ સદગુરુ ગોપાલાનંદ સ્વામીએ કરાવ્યું હતું. ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુરમાં બનેલા કષ્ટભંજન હનુમાનને હનુમાન દાદાના નામથી બોલાવવામાં આવે છે.

મંદિરની ઓળખ શું છે?
એવી માન્યતા છે કે, સાળંગપુર આવવાથી લોકોને શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે, ઘણા સમય પહેલા લોકો શનિદેવના પ્રકોપનો સામનો કરતા હતા, ત્યારે ભક્તો હનુમાનજીની પૂજા કરતા હતા. જે બાદ હનુમાનજીએ લોકોને શનિદેવના પ્રકોપથી મુક્ત કર્યા હતા.
એવું માનવામાં આવે છે કે, લોકો પર શનિદેવના પ્રકોપને કારણે હનુમાનજી ગુસ્સે થઈ ગયા હતા, જેના પછી તેઓ શનિદેવ સાથે લડવા માટે નીકળી ગયા હતા, પરંતુ જ્યારે શનિદેવને આ વાતની જાણ થઈ, તો તેમણે કોઈ ઉપાય વિચારવાનું શરૂ કર્યું હતું.
બજરંગબલીથી બચવા માટે શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું કારણ કે, તેઓ જાણતા હતા કે હનુમાનજી બ્રહ્મચારી છે, તેથી તેઓ ક્યારેય કોઈ સ્ત્રી પર હાથ નહીં ઉપાડે.
હનુમાનજીએ શનિદેવને ઓળખી લીધા હતા. જે પછી શનિદેવ હનુમાનજીના પગમાં પડ્યા અને માફી માંગવા લાગ્યા, તો બજરંગબલીએ તેમને પોતાના પગ નીચે રાખ્યા હતા. ત્યારથી શનિદેવ કષ્ટભંજન હનુમાન મંદિરમાં મહિલાના રૂપમાં બજરંગબલીના પગ નીચે બિરાજમાન છે અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે.

ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિ પહેલા રાજ્યોને કડક નિર્દેશ આપ્યા છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હનુમાન જન્મોત્સવને લઈને રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાય તેની ખાતરી કરવા જણાવ્યું છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને આવી ઘટનાઓ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેનાથી સામાજિક સમરસતા બગડવાનો ખતરો છે. રામ નવમીના તહેવાર પર કેટલાક રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયની આ એડવાઈઝરી આવી છે.
ગૃહ પ્રધાનના કાર્યાલયે ટ્વિટ કર્યું હતું, રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોએ કાયદો અને વ્યવસ્થા જાળવવાની, તહેવાર દરમિયાન શાંતિ જાળવવાની અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે તેવા તમામ પ્રકારના કારણો અથવા લોકો પર નજર રાખવાની જરૂર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, હનુમાન જયંતિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં રાજ્ય પોલીસને મદદ કરવા માટે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
