અમદાવાદમાં અકસ્માતે મોતનો આંકડો વધ્યો, દરરોજ 1નું મોત
અમદાવાદમાં અકસ્માતે મોતનો આંકડો વધ્યો, દરરોજ 1નું મોત
અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવતું હોવા છતાં અકસ્માતે મૃત્યુના આંકડા ઘટવાને બદલે વધી રહ્યા છે. 16 નવેમ્બર 2017 અને 15 નવેમ્બર 2019 દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અકસ્માતના કારણે દર બે દિવસે એવરેજ 5 લોકો મૃત્યુ પામ્યા છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં રોડ અકસ્માતના કારણે દરરોજ એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. કાલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરે વિધાનસભામાં પૂછેલા સવાલના જવાબમાં ગુજરાત સરકારે ગાંધીનગર અને અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1860 એક્સિડન્ટ થયાં હોવાનું જણાવ્યું. અકસ્માતે મૃત્યુના આંકડાઓ પર નજર નાખીએ તો બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 729 અને અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 668 મૃત્યુ થયાં છે.

અકસ્માતે મોતનો આંકડો વધ્યો
આંકડાઓ મુજબ 2018-19 દરમિયાન અકસ્માતે જાનહાનીમાં 32 ટકાનો વધારો નોંધાયો છે. આંકડા સૂચવે છે કે 16 નવેમ્બર 2017થી 15 નવેમ્બર 201 દરમિયાન રોડ અકસ્માતમાં 316 લોકો મૃત્યુ પામ્યા હતા જેમાં 20181-19 દરમિયાન 416 મૃત્યુદરનો વધારો થયો છે.

રાજ્ય ગૃહમંત્રી માહિતી આપી
રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યમાં રોડ અકસ્માતે મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકાર નિર્ધારિત હતી. વધુમાં તેમણે કહ્યું ગેરકાયદેસર ડિવાઈડરને કારણે પણ મૃત્યુનો આંકડો વધ્યો છે. 'પોલીસની ભલામણ મુજબ જ સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ.'

RTOએ આ પગલાં ભર્યાં
વધુમાં રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું કે આરટીઓ, સિવિક બૉડી અને પોલીસની જોઈન્ટ ટીમે અકસ્માત સ્થળોની મુલાકાત લઈ અકસ્માતના કારણોનું મૂલ્યાંકન કર્યું. જો રોડ ડિઝાઈનમાં ફોલ્ટ જણાશે તો ઑથોરિટીને તે સુધારવા કહેવામાં આવશે. આરટીઓ દ્વારા બેદરકાર ડ્રાઈવરોના લાઈસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્પીડ લિમિટ પણ નક્કી કરી દેવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
