મત્યપાલનની ક્ષમતા વધારવા આધુનિક તકનીકો અપનાવો - ગુજરાત સરકાર
દેશમાં 1600 કિલોમીટરનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે. ગત ચાર વર્ષ દરમિયાન વાર્ષિક સરેરાશ 8.5 લાખ ટન સમૃદ્રી માછલીનું ઉત્પાદન રાજ્યમાં થયું છે. ગુજરાત 5000 કરોડ રૂપિયાના નિકાસથી ભારતના માછલી નિકાસમાં 17 ટકા યોગદાન ધરાવે છે.
ગુજરાત સરકાર દ્વારા હવે તેના પરંપરાગત માછીમારી સમુદાયને ઊંડા સમુદ્રમાં માછીમારીની સંભવિતતાનો ઉપયોગ કરવા માટે આધુનિક તકનીકો અપનાવવા વિનંતી કરવામાં આવી છે, જે રાજ્યના મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણમાં વૃદ્ધિ માટે અપાર સંભાવનાઓ ઉભી કરશે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ ઉદ્યોગને વધુ સમર્થન આપશે તેવી અપેક્ષા છે. દ્વિવાર્ષિક સમિટ વ્યવસાયો અને સરકારોને રોકાણની તકો ઓળખવા અને પાર્ટનરશીપ સ્થાપિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 1,600 કિલોમીટરનો સૌથી લાંબો દરિયાકિનારો છે. તે માછલી ઉત્પાદનમાં મોખરે છે. આજે ગુજરાત રૂપિયા 5,000 કરોડથી વધુની માછલીની નિકાસ કરે છે, જે ભારતની કુલ માછલીની નિકાસમાં રાજ્યનું યોગદાન 17 ટકા બનાવે છે.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે સાગરખેડુ સર્વગ્રાહી વિકાસ યોજના શરૂ કરી હતી, જે ખૂબ જ સફળ રહી હતી. આજે ગુજરાતની બ્લુ ઈકોનોમી ઝડપથી વધી રહી છે.
માછીમારી સમુદાયના આગેવાનો અને સભ્યોએ જણાવ્યું હતું કે, માછીમારીથી લઈને પ્રોસેસિંગ સુધી, રોજગારી પેદા કરવામાં અને રાજ્યની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા માટે મત્સ્ય ઉદ્યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના માછીમાર સમાજના આગેવાન જીતુ કાહરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર નાના પરંપરાગત માછીમારોને ગેસના નવા મશીનો આપવા માટેની યોજના લઈને આવી છે, જેનો તેમને ઘણી રીતે ફાયદો થઈ રહ્યો છે.
આ વર્ષે જુલાઈમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ, (કામચલાઉ) 2022-23માં દરિયાઈ માછલીનું ઉત્પાદન 6,97,151 મેટ્રિક ટન અને આંતરદેશીય માછલીનું ઉત્પાદન 2,07,078 મેટ્રીક ટન થવાની સંભાવના છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં માછીમાર પરિવારની સરેરાશ વાર્ષિક આવક રૂપિયા 6.56 લાખથી વધીને રૂપિયા 10.89 લાખ થઈ છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યાંત્રિક બોટ પરંપરાગત બોટ કરતાં વધુ છે. પરંપરાગત બોટની સંખ્યા 8,625 છે અને મિકેનાઇઝ્ડ બોટની સંખ્યા 28,355 છે.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી એલ મુરુગને હાલમાં જ આયોજિત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023માં જણાવ્યું હતું કે, હવે ઊંડા સમુદ્રમાં માછીમારીની ક્ષમતાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને પરંપરાગત માછીમારોને ઊંડા સમુદ્રમાં માછીમારીની બોટ હસ્તગત કરવામાં મદદ કરીને આ પરિવર્તનમાં સંયુક્ત રીતે યોગદાન આપી રહી છે.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી એલ મુરુગને જણાવ્યું હતું કે, આ મદદ કેન્દ્રની યોજનાઓ, બ્લુ રિવોલ્યુશન અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના દ્વારા આપવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
