લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત

ગુજરાતના હાઈવે પર રવિવારે રાત્રે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા છ શ્રદ્ધાળુઓ સહિત કુલ સાત લોકોના કરુણ મોત નીપજ્યા છે.

શ્રદ્ધાળુઓનો આ સમૂહ રાજકોટના ગઢકા ગામથી ડેકવાડા સ્થિત મંદિર સુધી પગપાળા પ્રવાસ કરી રહ્યો હતો. સુરેન્દ્રનગરના ભાસ્કરપરા પાસે લખતર-વિરમગામ હાઈવે પર જ્યારે શ્રદ્ધાળુઓ રસ્તાની બાજુમાં ટાયર બદલવા માટે ઉભેલા એક ડમ્પર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતી ટ્રકે અંદાજે દસ લોકોને અડફેટે લીધા હતા.

surendranagar

આ અકસ્માત એટલો ભયાનક હતો કે છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. રાહદારીઓએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડમ્પરનો ડ્રાઈવર, જેને પણ ટ્રકે ટક્કર મારી હતી, તેનું વિરમગામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે સત્તાવાળાઓએ કેટલાક મૃતદેહોના અવશેષો એકઠા કરવા માટે પાવડાનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X