ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
આરોપી જયેશ પટેલની તબિયત લથડી, હાર્દિક પટેલ સરકાર સાથે વાતચીત કરવા તૈયારી બતાવી..જેવા તમામ સમાચારો વિસ્તારથી વાંચો અહીં...
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિકે કહ્યું સરકાર સાથે વાતચીત કરવા તૈયાર છીએ પણ...
મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સમક્ષ પાસના આરોપોને ખોટા ગણાવી સીએમ રૂપાણી સાથે પાસના 4 મુદ્દાઓ પર ચર્ચા કરવાની વાત ઉચ્ચાર્યા બાદ હાર્દિક પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે સરકાર વારંવાર તેના મુદ્દાઓને વિચારણા હેઠળ ગણાવી રહી છે. તેમ છતાં તે સરકાર સાથે વાતચીત કરવામાં સહયોગ આપશે. વધુમાં ટૂંક સમયમાં તે સરકાર સમક્ષ અનામત મુદ્દે ફોર્મ્યુલા આપશે તેવું પણ જણાવ્યું હતું.

સુરતમાં હરિભક્તો ઊભુ કર્યું મીની નગર
સુરત દાંડ રોડ ખાતે ભવ્ય સ્વામિનારાયણ નગર ઉભુ કરવામાં આવ્યુ છે જેમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારજના અક્ષર વાસ બાદ તેમની જન્મજયંતિ બુધવારે ઉજવાશે. લાખો હરકિભક્તો પ્રથમ વાર પૂજય સ્વામીબાપાની ઉપસ્થિતિમાં પૂજય મહંત સ્વામીની નિશ્રામાં આ જન્મજયંતિ ઉજવી ગુરૂભક્તિ અદા કરશે. છેલ્લા અઠવાડિયાથી આ નગરમાં વ્યસન મુક્તિ, રક્ત દાન સહિતના કાર્યો થઈ રહ્યા છે. અહીંનો માહોલ સુરતની અંદર જાણે બાજુ એક નાનું નગર રચાઈ ગયો હોય તેવો છે.

સ્વામીજીએ યુવકોને અપાવી દીક્ષા
ત્યારે સોમવારે સ્વામિનારાયણ નગરમાં વિદેશના 7 અને દેશના 37 નવયુવાનોએ ઘર અને સંસાર ત્યાગ કરીને પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે વેદોક્ત વિધીથી ત્યાગાશ્રમની દીક્ષા પ્રાપ્ત લીધી કરી હતી. સુરતના આ સ્વામિનારાયણ નગર ખાતે રોજ રોજ લાખોની સંખ્યામાં ભક્ત મહેરામણ ઉમટી રહ્યા છે.

કોડીનારમાં દીપડો પાંજરે પૂરાયો
ગીર સોમનાથના દેવલી ગામે છેલ્લા કેટલાક સમયથી રંજાડતો દીપડો પાંજરે પૂરવામાં આવ્યો હતો. દેવલી ગામના વાડી માલિકો તેમજ ગ્રામજનોએ જંગલ ખાતાને અનેક વાર રજૂઆતો કરી હતી. કારણ કે એ વિસ્તારમાં ફરતા દીપડાને કારણે લોકો ખૂબ ભયભીત થઈ ગયા હતા. આથી જંગલ ખાતાએ દીપડાને કેદ કરવા પાંજરા ગોઠવ્યા હતા અને આખરે આ દીપડો પાંજરે પૂરાતા તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો. ખૂંખાર દીપડાને પાંજરામાં પૂરાતા ગ્રામજનો તેને જોવા ઉમટી પડ્યા હતા.

બળાત્કારી જયેશ પટેલની તબિયત લથડી, સયાજી હોસ્પિટલ ખસેડાયો
વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતેની પારુલ યુનિવર્સીટીના બહુચર્ચિત બળાત્કારી કાંડમાં સંડોવાયેલા ડૉ.જયેશ પટેલ હાલ જેલમાં છે, તબીબી બેકગ્રાઉન્ડ પર જયેશ પટેલે વડોદરાની સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે કોર્ટે નામંજૂર કરી હતી, જે બાદ જયેશ પટેલની તબિયત વધુ લથડતા આજે ફરી એક વખત વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડૉ. જયેશ પટેલને હોસ્પિટલમાં લાવવામાં આવતા જ તેમના પુત્ર અને પારુલ યુનિવર્સીટીના ચેરમેન દેવાંશુ પટેલ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

આણંદમાં દેહ વેપારના સોદા કરનારની ધરપકડ
આણંદમાં છ મહિનામાં બીજી વાર દેહ વેપારના સોદા કરતો શખ્સ ઝડપાયો છે. આણંદ એસઓજીને આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે ચંદ્રકાન્ત ઉર્ફે ખુશી અને લક્ષ્મણ મારવાડી મુંબઈ તેમજ પશ્ચિમ બંગાળમાંથી કોલ ગર્લ લાવી તેના સોદા કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સમગ્ર રેકેટને ઝડપી પાડવા માટે એક ડમી ગ્રાહકને પૈસા આપીને ફોન કર્યો હતો. અને આ ફોનના આધારે વ્યક્તિને આણંદના બસ સ્ટેન્ડ, સરદાર બાગ પાસે બોલાવ્યો હતો. અને પોલીસે તેને ઝડપ્યો હતો.

મહેશ શાહ સાથે સરકારની ગોઠવણ છે? : કોંગ્રેસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આજે મીડિયા સમક્ષ મહેશ શાહ અને સરકારની સાંઠ ગાંઠ હોવાના આરોપ સાથે ભાજપ સરકાર પર અનેક આકાર પ્રહારો કર્યા હતા. શંકર સિંહ વાધેલા મહેશ શાહની કોલ ડિટેલ કઢાવાની માંગ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે મહેશ શાહ તો માત્ર કોઇનું મહોરું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જોડે પણ શું તેનો કોઇ સંબંધ? કેમ તેને પોલિસ વેશમાં રખાય છે? આ તમામ મામલે તેમણે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
