ગુજરાત: પાંજરાપોળ થી રહસ્યમય રીતે ગાયબ થયી 600 ગાયો
ગુજરાતના જૂનાગઢ જિલ્લાથી 15 કિલોમીટર દૂર તોરણીયા ગામમાં પાંજરાપોળ થી 600 ગાયો રહસ્યમય રીતે ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે.
ગુજરાતના જૂનાગઢ જિલ્લાથી 15 કિલોમીટર દૂર તોરણીયા ગામમાં પાંજરાપોળ થી 600 ગાયો રહસ્યમય રીતે ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ નગરપાલિકા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આવારા ગાયો રસ્તામાંથી પકડીને તેને પાંજરાપોળ મોકલવામાં આવી હતી. પરંતુ હવે બધી ગાયો ગાયબ થઇ ચુકી છે. પાંજરાપોળ માલિક અને મેનેજર ઘ્વારા દાવો કરવામાં આવ્યા છે કે પ્લાસ્ટિક ખાવાને કારણે ગાયો બીમાર હતી અને એક વર્ષમાં તેમની મૌત થઇ ગયી.

1 વર્ષમાં 600 ગાયો ગાયબ
ટાઈમ્સમાં છપાયેલી ખબર અનુસાર જૂનાગઢ ડેપ્યુટી નગરપાલિકા આયુક્ત એમકે નંદની ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગયા વર્ષે જે ગાયો અમે પાંજરાપોળ મોકલી હતી, તે ગાયબ છે. અમે 789 ગાયોને પાંજરાપોળ મોકલી હતી. અમે આ મામલે પાંજરાપોળ માલિકને નોટિસ પણ આપ્યું છે. તેની સાથે અમે મેનેજર પાસે રજીસ્ટર કોપી પણ મંગાવી છે. જેથી અમને ખબર પડે કે કેટલી ગાયો ક્યાંથી આવી અને તેમાંથી કેટલાની મૌત થઇ ચુકી છે. જો તેમાં કોઈ પણ ગરબડ જોવા મળી તો તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.

કોઈ પણ મહામારી વિના 600 ગાયો મરી ગયી
આપણે જણાવી દઈએ કે સિવિક બોડીને શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલી ગાયોની દેખરેખ માટે 3000 રૂપિયા આપવામાં આવે છે. સરકારી પશુ ડોક્ટર હેમલ ગુજરાતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને વાડામાંથી કોઈ પણ જાનવર ની મૌત અંગે પુરાવા નથી મળ્યા. મોટી સંખ્યામાં જાનવરોની મૌત ત્યારે જ થાય છે જયારે કોઈ મહામારી ફેલાય છે. પાંજરાપોળ માલિક ધીરુ સાવલિયા ઘ્વારા આ વાત ખોટી ગણાવી છે.

રોજ 1-2 ગાયો મરતી હતી
ધીરુ સાવલિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને એક પણ ગાય વેચી નથી. પ્લાસ્ટિક ખાવાને કારણે છેલ્લા 6 થી 7 મહિનામાં લગભગ 450 ગાયોની મૌત થયી. આ ગાયો પહેલા થી બિમાર હતી. જેના સાક્ષી ગામના લોકો છે. રોજ 1-2 ગાયો મરતી હતી. તેમને આગળ જણાવ્યું કે તેમને લગભગ 7 મહિના પહેલા જૂનાગઢ નગરપાલિકા પશુ ચિકિત્સાલય ને મૌખિક રૂપે જાણ પણ કરી હતી. પરંતુ તેમને જણાવ્યું કે ગાયોની મૌત પ્લાસ્ટિક ખાવાથી થઇ રહી છે તો તેઓ કઈ પણ નહીં કરી શકે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
