21 july Covid Update : દેશમાં કોરોના સંક્રમણના 21,566 કેસ અને 45 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે લગભગ દરરોજ કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે, તેનાથી લોકોની ચિંતા વધી છે.
21 july Covid Update : ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 894 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 691 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

મહેસાણામાં 45 કેસ નોંધાયા
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 303 કેસ, સુરતમાં 78 કેસ, વડોદરામાં 81કેસ, ગાંધીનગરમાં 58 કેસ, રાજકોટમાં 49 કેસ, મહેસાણામાં 45 કેસ, પાટણમાં 38 કેસ અને ભાવનગરમાં 25 કેસ નોંધાયા છે.

કચ્છમાં 30 કેસ નોંધાયા
કચ્છમાં 30 કેસ, દેવભૂમિ દ્વારકામાં 23 કેસ નોંધાયા છે. આ સાથે બનાકાંઠામાં 21 કેસ, વલસાડમાં 19 કેસ, ભરૂચમાં 18 કેસ નોંધાયા છે. આઉપરાંત આણંદ, મોરબી અને સાબરકાંઠામાં 15-15 કેસ નોંધાયા છે. તેમજ પોરબંદરમાં 10 કેસ નોંધાયા છે.

આ જિલ્લામાં નોંધાયા 3-3 કેસ
જામનગરમાં 9 કેસ, ખેડા અને નવસારીમાં 7-7 કેસ, અમરેલીમાં 6 કેસ, પંચમહાલમાં 5 કેસ નોંધાયા છે. આ સાથે અરવલ્લી, તાપી અનેસુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દાહોદમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5099 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,954 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,28,955 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા5099 થઇ છે. જેમાંથી 8 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,28,32,132 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.71 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 1,93,074 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,28,32,132 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

21 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 295 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદ શહેરી વિસ્તારમાં 8 વ્યક્તિના કોરોના રિપોર્ટપોઝિટિવ આવ્યો હતો.
આ સાથે શહેરી વિસ્તારમાં 253 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 6 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 21,075 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 6427 વ્યક્તિએ કોરોનાવેક્સિનનો ડોઝ લીધો છે.

21 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 31 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 18 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથેશહેરી વિસ્તારમાં 11 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 15 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 4782 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 6591 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

21 july ની ભારત કોરોના અપડેટ
દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે લગભગ દરરોજ કોરોના સંક્રમણના20 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે, તેનાથી લોકોની ચિંતા વધી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરનાઆંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,566 નવા કેસ નોંધાયા છે. જ્યારે 18,294 લોકો કોરોનાથી સાજા થયા છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા 1,48,881
એક જ દેશમાં કોરોનાના સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 1.5 લાખ સુધી પહોંચવા જઈ રહી છે. હવે દેશમાં કોરોનાના સક્રિય કેસ1,48,881 પર પહોંચી ગયા છે.
દૈનિક સકારાત્મકતા દરની વાત કરીએ તો તે 4.25 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાંકોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 871160846 કોરોના સેમ્પલનું પરીક્ષણ કરાયું
ICMR અનુસાર, 20 જુલાઈના રોજ 507360 કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સાથે દેશમાં અત્યાર સુધીમાં871160846 કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
બીજી તરફ, કોરોના વેક્સિનની વાત કરીએ તો દેશમાં 200 કરોડથી વધુકોરોનાની રસી લોકોને આપવામાં આવી છે.
15 જુલાઈથી, દરેક સરકારી કેન્દ્રો પર 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને રસીના બૂસ્ટરડોઝ મફતમાં આપવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
