TATAના પહેલા નોન-પારસી ચેરમેન નટરાજન શેખરની 10 ખાસ વાતો
જાણો કોણ છે TATAના નવા ચેરમેન નટરાજન ચંદ્રશેખર? 10 ખાસ વાતો
નટરાજન ચંદ્રશેખરનું નામ ટાટા સન્સના નવા ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીને ત્રણ મહિના પહેલા પદ પરથી નીકાળ્યા બાદ હવે ટાટાએ પહેલી વાર એક નોન-પારસી વ્યક્તિને તેના ગ્રુપના ચેરમેન તરીકે પસંદ કર્યો છે. ત્યારે કોણ છે ચંદ્રશેખર જેને "મેરેથોન મેન" તરીકે ઓળખવામાં આવે છે. તે અંગે વધુ જાણો અહીં...

46 વર્ષમાં બન્યા CEO
1963માં જન્મેલા ચંદ્રશેખરન, પત્ની લલિતા અને પુત્ર પ્રણવ સાથે મુંબઇમાં રહે છે. આ પહેલા ચંદ્રશેખર ટાટા ગ્રુપના ક્રાઉન જ્વેલનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તે 2009માં ટાટા કન્સલટન્સી સર્વિસિસ સાથે જોડાયા હતા. ત્યારે આજે તે 46 વર્ષની ઉંમરે ટાટા ગ્રુપના સીઇઓ બન્યા છે.

નારાયણ મૂર્તિએ કર્યા વખાણ
ચેરમેન તરીકે ચંદ્રશેખરની નિયુક્તીને ઇન્ફોસિસના કો ફાઉન્ડર એન.આર.નારાયણ મૂર્તિ પણ વખાણ્યું છે. તેમણે કહ્યું કે ચંદ્રશેખર હંમેશા જ લોકોની સાથે શીખતા રહે છે. અને લોકોની સાથે રહે છે. તેમણે કહ્યું કે મને તે વાતમાં કોઇ શંકા નથી કે પૂરી કંપની આ વાતની ઉજવણી મનાવી રહી હશે. મૂર્તિએ ચંદ્રશેખરની નિયુક્તિને શ્રેષ્ઠ પસંદ જણાવ્યું છે.

TCSનો રેવેન્યૂ વધ્યો
ચંદ્રશેખરને કોયબંતૂર ઇસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીથી એપ્લાઇડ સાયન્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે. અને ત્રિચીથી તેમણે કોમ્પ્યૂટર એપ્લિકેશનમાં માસ્ટરની ડિગ્રી લીધી છે. તેમને અનેક વિશ્વવિદ્યાલયોથી માનદ સ્વરૂપે ડિગ્રી અને ડોક્ટ્રેટ મળી ચૂક્યું છે. 1987માં TCS જોઇન કરનાર ચંદ્રશેખરે તેમના કાર્યકાળ દરમિયાન રેવેન્યૂ ગ્રોથને 1,12,257 કરોડ જેટલો વધાર્યો છે.. સાથે જ માર્કેટ કેપિટલ પણ 4,76,435 કરોડ રૂપિયાથી વધારે થયો છે.

TCSના ચેરમેન
જ્યારે ચંદ્રશેખર ટીસીએસના સીઇઓ હતા ત્યારે કંપનીનો નફો 7,093 કરોડથી વધીને 24,375 કરોડ રૂપિયા થઇ ગયો. ગત વર્ષમાં સાયરસને નીકાળ્યા પછી તે ટાટા સન્સ બોર્ડના મેમ્બર બન્યા. 2012-13માં નેશનલ એસોસિયેશન ઓફ સોફ્ટવેયર એન્ડ સર્વિસિસ કંપનીના ચેરમેન પણ તે રહી ચૂક્યા છે.

ફોટોગ્રાફીનો શોક
ચંદ્રશેખર, ભારત સરકાર દ્વારા રચવામાં આવેલા અનેક ટાસ્ક ફોર્સિસના સદસ્ય રહી ચૂક્યા છે. ચંદ્રશેખરને ફોટોગ્રાફી સમતે મેરેથોનમાં ભાગ લેવાનો પણ શોખ છે. તે અનેક શહેરોની મેરેથોનમાં ભાગ લઇ ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
