ભવ્ય રામ મંદિરની ભેટ આપવા બદલ PM મોદીનો આભાર: મુખ્યમંત્રી
Shri Ram Mandir pran pratishtha: 22 જાન્યુઆરી, 2024ના રોજ અભિજીત મુર્હૂતમાં અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
અયોધ્યાજી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવ્ય ક્ષણને અમદાવાદના શીલજ ગામ ખાતેથી ઓનલાઈન માધ્યમથી નિહાળી. રામભક્તોની સાથે ભક્તિમય વાતાવરણમાં પ્રાણ પ્રતિષ્ઠાની આ વિધિ અને પ્રથમ… pic.twitter.com/UztMRhWODl
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 22, 2024












Click it and Unblock the Notifications
