ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને ગુજરાત સરકારે આપી મંજૂરી, ગૃહમંત્રીએ જણાવ્યુ કેવી રીતે નીકળશે
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
અમદાવાદઃ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યુ કે કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરીને અખાડા, ભજન મંડળી તેમજ ઝાંકીઓ વિના રથયાત્રા બપોર સુધી નીકળશે. જાડેજાએ કહ્યુ કે ભગવાન જગન્નાથ પ્રત્યે લોકોમાં ખૂબ શ્રદ્ધા તેમજ આસ્થા છે. કોરોનાના કારણે જ રથયાત્રા ગયા વર્ષે કાઢવામાં આવી શકી નહોતી. જો કે, હવે રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે માટે કોવિડ પ્રતિબંધોનુ પાલન કરીને રથયાત્રા કાઢી શકાશે.

માત્ર 2 રથ, 3 વાહનો સાથે થશે આખા રથયાત્રા
રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યુ કે 144મી રથયાત્રામાં સુરક્ષા કારણોસર એસઆરપીની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યુ કે રથયાત્રાની તૈયારીઓ માટે સરકારની મંદિર પ્રશાસન સાથે બેઠક થઈ હતી. જેમાં નક્કી થયુ કે રૂટ પર કર્ફ્યુ લાગેલો રહેશે. માત્ર 3 વાહન અને 2 રથને અનુમતિ આપવામાં આવશે. મંત્રીએ જણાવ્યુ કે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોવિડના યોગ્ય નિયમોનુ પાલન કરે અને પ્રોટોકૉલને પણ ફોલો કરે.

પ્રસાદનુ વિતરણ નહિ થાય
ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ એ પણ જણાવ્યુ કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી પરંપરાગત રથયાત્રા દરમિયાન પ્રસાદનુ વિતરણ નહિ થાય. તેમણે કહ્યુ કે પ્રસાદ વિતરણથી લોકોની ભીડ એકઠી થઈ જશે માટે આ વખતે પ્રસાદ વહેંચવામાં નહિ આવે. રથયાત્રા જ્યાંથી પસાર થશે ત્યાં હજારોની સંખ્યામાં ગુજરાત પોલિસના જવાનો તૈનાત રહેશે.

લોકો દૂરદર્શન પર લાઈવ જોઈ શકશે
રથયાત્રા 12 જુલાઈના રોજ સવારે નિજ મંદિરથી પ્રારંભ થશે અને સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં તેને પૂર્ણ કરી લેવામાં આવશે. આ દરમિયાન દર્શનાર્થી રથયાત્રામાં શામેલ થઈ શકશે નહિ. લોકો દૂરદર્શન પર તેમજ ખાનગી ટીવી ચેનલના માધ્યમથી રથયાત્રાના દર્શન કરી શકશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
