કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડ્યુ, જણાવ્યુ આ કારણ
કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.
અમદાવાદઃ કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ 37 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત હતા. રાજીનામાં કાર્યકર્તાઓને સંબોધીને તેમણે બે પત્ર લખ્યા છે. જેમાં જયરાજસિંહે પરમારે જણાવ્યુ છે કે મે પાર્ટી છોડી છે, રાજનીતિ નહિ. તેમણે જણાવ્યુ છે કે લડવા નહિ માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાકી ગયો છુ.

ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વચન આપ્યા બપાદ ટિકિટ ન આપતા કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ ઉપરાંત જયરાજસિંહે આજે સવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ પરના પોતાના મુખ્ય પ્રવકતા સહિતના તમામ હોદ્દાઓ દૂર કરી દીધા છે. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો રાખ્યો છે. ટ્વિટર અકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો અર્થ તેમણે કોંગ્રેસ પક્ષ છોડી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયુ હતુ. જેમાં પીઢ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. તેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભા દરબાર સહિત આગેવાનો જોડાયા હતા. જેમાં વાઘુભા જાડેજા, રણુભા જાડેજા પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લાના પીઢ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં અધ્યક્ષ સીઆર પાટિલ, મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં ભગવો ધારણ કરવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધૂભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા ભાજપમાં જોડાયા. મહેસાણા જિલ્લાના 150થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ ભગવો ધારણ કર્યો.
કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે..
— Jayrajsinh Parmar (@JayrajKuvar) January 27, 2022
કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
