દેશમાં પહેલી અમદાવાદની સી પ્લેન સેવા માત્ર 2 દિવસમાં જ થઈ બંધ, જાણો કારણ
1 નવેમ્બરે શરૂ થયેલી દેશની પહેલી સી-પ્લેન સેવા 2 દિવસમાં જ બંધ પડી ગઈ છે. જાણો કારણ.
અમદાવાદઃ દેશની પહેલી સી-પ્લેન સેવાનો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે શુભારંભ થયો હતો. 1 નવેમ્બરથી સામાન્ય લોકો ટિકિટ ખરીદીને આ રીતના પ્લેનથી ઉડાન ભરવા લાગ્યા. આ ખાસ પ્રકારની સેવા શરૂ થતા જ પ્લેન 2 દિવસ માટે ફૂલ થઈ ગયા હતા. પરંતુ શરૂઆતના બે દિવસ બાદ જ આ સેવાને વચમાં અટકાવી દેવી પડી. સી-પ્લેનની ઉડાનો અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી ભરવામાં આવી રહી હતી.

2 દિવસ બાદ જ કેમ અટકી સી-પ્લેન સેવા?
માહિતી મુજબ પ્લેન બે દિવસ સુધી જ લોકોને બરાબર સફર કરાવી શક્યુ. હવે મેઈન્ટેનન્સના નામે સી-પ્લેનની ઉડાનો અટકાવી દેવામાં આવી છે. આ વિશે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યુ, 'ફ્લાઈટ્સ બે દિવસ માટે બંધ કરવામાં આવી છે.' અધિકારીઓનુ કહેવુ છે કે મેઈન્ટેનન્સના કારણ બુધવારે અને ગુરુવારે પ્લેન ઉડાન નહિ ભરી શકે. તેમણે કહ્યુ કે, સી-પ્લેન માટે કેનાડાથી 3 પાયલટ અને એક અટેન્ડન્ટ આવ્યો છે. એવામાં તેેને આરામ આપવો પણ જરૂરી છે. અધિકારીઓએ કહ્યુ કે તે વિદેશી પાયલટ ભારતીય પાયલટને 6 મહિના સુધી ટ્રેનિંગ આપવા માટે ગુજરાત આવ્યા છે.

યાત્રી ન મળવાની વાત બહાર આવી
સી-પ્લેન સર્વિસ વચમાં અટકાવી દેવાતા લોકો વચ્ચે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એ પણ સાંભળવામાં આવ્યુ છે કે સી-પ્લેનથી કેવડિયા પાછા આવતી વખતે ઓછી સવારી મળી રહી છે. આના કારણે આ સેવા થોડા દિવસ માટે બંધ કરવામાં આવી છે. માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસોમાં માત્ર 80 યાત્રીઓએ સી-પ્લેનની મઝા લીધી છે. હવે આગામી દિવસોમાં યાત્રીઓની સંખ્યા વધતા જ સી-પ્લેન સેવા શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉડાનો માટે 15 સીટર ટ્વિન ઓટર-300 વિમાનનો ઉપયોગ થશે કે જે પહેલા પણ ઘણા દેશોમાં સેવા આપી ચૂક્યુ છે. આ પ્લેનની કેપેસિટી કુલ 19 પેસેન્જરની જણાવાઈ રહી છે. જો કે હજુ કહેવામાં આવી રહ્યુ છે કે એક વખતમાં એક ડઝન યાત્રીઓ બેસાડવામાં આવશે.

કેટલા રૂપિયા ખર્ચ કરવા પડે છે આના માટે?
ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટે સી-પ્લેનને સફર કરાવવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ 3 હજાર રૂપિયા ભાડુ માંગ્યુ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રંટથી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી આ રીતની વિમાન રોજ બે ઉડાન ભરશે. લગભગ અડધા કલાકની આ ઉડાન માટે યાત્રીઓને એક તરફથી લગભગ 1500 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. બંને સ્ટેશનો વચ્ચેની ટૂર 3000 રૂપિયામાં પૂરી થશે. ગઈ 30 ઓક્ટોબરથી આ સેવા ઑનલાઈન ટિકિટનુ બુકિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. ત્યારે કહેવામાં આવ્યુ હતુ કે ટિકિટનુ બુકિંગ તમે www.spiceshuttle.comની વેબસાઈટ પરથી કરી શકો છો.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
