ગુજરાતઃ 17 ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઑફ યુનિટી અને 16 ઓક્ટોબરથી ગીર અભ્યારણ્ય ખોલવાની ઘોષણા
અનલૉક-5 હેઠળ હવે પર્યટન સ્થળોને ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાત કોરોના વાયરસના સંક્રમણથી ઘણુ પ્રભાવિત રાજ્ય રહ્યુ છે. અહીંના પર્યટન સ્થળ છેલ્લા સાત મહિનાથી બંધ છે. અનલૉક-5 હેઠળ હવે પર્યટન સ્થળોને ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે. દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યુ ઑફ યુનિટીને પણ 17 ઓક્ટોબરથી ખોલવામાં આવશે. વળી, એશિયાઈ સિંહો માટે જાણીતા ગીર અભ્યારણ્યને 16 ઓક્ટોબરથી ખોલવાની ઘોષણા કરવામાં આવી છે. બંને પર્યટન સ્થળ પર સોશિયલ ડિસ્ટંસિંગ સાથે ટુરિસ્ટોને પ્રવેશ આપવામાં આવશે અને તેમને કોરોના કાળના નિયમોનુ પાલન કરવાનુ રહેશે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી 17 ઓક્ટોબરથી ખોલવાનુ એલાન
કોરોના સંક્રમણના ફેલાવા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી છેલ્લા સાત મહિનાથી બંધ છે. સરકારે અધિકૃત રીતે હવે તેને 17 ઓક્ટોબરથી ખોલવાનુ એલાન કરી દીધુ છે. સરકારે જાહેરખબર જારી કરીને કહ્યુ કે એક દિવસમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં 2500 પર્યટકોને પ્રવેશની અનુમતિ આપવામાં આવશે. એક વારમાં 500 પર્યટકોને ગેલેરીમાં પ્રવેશની અનુમતિ આપવામાં આવશે. આ રીતે રોજ ગેેલરીમાં પ્રવેશ માટે બે કલાકના પાંચ ચક્ર હશે.

31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ મનાવવામાં આવશે
સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં પ્રવેશ માટે ટિકિટનુ બુકિંગ ઑનલાઈન થશે. કાઉન્ટરથી ટિકિટનુ વેચાણ નહિ થાય. પર્યટકો માટે માસ્ક પહેરવુ અનિવાર્ય છે અને તેમને ઉભા રહેવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરની અંદર જગ્યા નિર્ધારિત કરવામાં આવ છે. 31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ મનાવવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થશે.

16 ઓક્ટોબરે ગીર ખોલવાનો નિર્ણય
16 ઓક્ટોબરથી ગીર અભ્યારણ્ય પણ ખોલી દેવામાં આવશે. અહીં પણ કોરોના વાયરસ સંક્રમણ કાળના નિયમોનુ પાલન કરવાનુ રહેશે. વન વિભાગે આ માટે નિર્દેશ જારી કરી દીધા છે. આ પહેલા બે સફારી પાર્ક ખોલવામાં આવી ચૂક્યા છે. અહીં આવેલા પર્યટકોના અનુભવો બાદ 16 ઓક્ટોબરે ગીર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. પર્યટકોને સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
