કિશન ભરવાડ કેસના આરોપીઓને ATS ધંધુકા લઈ જઈ સમગ્ર ઘટના રિ-કન્સ્ટ્રક્શન કરશે
ધંધુકાના કિશન ભરવાડ ચકચારી હત્યા કેસના આરોપીઓને લઈને એટીએસ ધંધુકા લઈને જશે અને...
અમદાવાદઃ ધંધુકાના કિશન ભરવાડ ચકચારી હત્યા કેસના આરોપીઓને લઈને એટીએસ ધંધુકા લઈને જશે અને સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ગુજરાત એટીએસની ટીમ કિશન ભરવાડ હત્યા કેસના મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈને ધંધુકા જશે. બંને આરોપીઓએ કિશન ભરવાડની હત્યા કેવી રીતે કરી, ક્યાં રેકી કરી અને કેવી રીતે ફાયરિંગ કર્યુ તે સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. હત્યારાઓએ જ્યાં રેકી કરી હતી તે રોડ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

ધંધુકામાં મોઢવાડા દરવાજા પાસે ફાયરિંગની હકીકત મેળવવામાં આવશે. ઘટનાના રિકન્સ્ટ્રક્શન બાદ સર મુબારક દરગાહ પાસે તપાસ કરવામાં આવશે. દરગાહ પાસે આરોપીઓએ હથિયાર અને બાઈક છૂપાવ્યા હતા તે અંગેની હકીકત મેળવી વધુ તપાસ કરવામાં આવશે. ઘટના સ્થળે હાલમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે ત્રણેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કિશન ભરવાડ હત્યા કેસમાં આર્થિક મદદ કરનાર ધંધુકાના મતીન મોદન, પોરબંદરમાં સાજન ઓડેદરા હત્યાના ષડયંત્રમાં મદદ કરનાર હુસેન મિસ્ત્રી અને અમીન સેતાનીને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા કોર્ટમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે, 'અમને આ કેસમાં આતંકવાદી એંગલ મળ્યા પછી UAPAની અરજી કરવામાં આવી હોવાથી NIA અધિકારીઓ તપાસમાં જોડાયા છે પરંતુ સત્તાવાર રીતે તપાસ હાથ ધરી નથી.' એટીએસ અધિકારીએ જણાવ્યુ હતુ કે એનઆઈએ ઉપરાંત કેન્દ્રીય આઈબી પણ કેસની વિગતો લઈ રહી છે કારણકે તેની દિલ્લી સાથે પણ લિંક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
