આશ્રમ વિવાદ: બોબી દેઓલ અને પ્રકાશ ઝાને નોટીસ, જાણો શું છે મામલો
અભિનેતા બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાને રાજસ્થાનની જોધપુર કોર્ટ દ્વારા 'આશ્રમ' ની વેબ સિરીઝ સામે નોંધાયેલા કેસમાં નોટિસ ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસની આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. તમને જણાવ
અભિનેતા બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાને રાજસ્થાનની જોધપુર કોર્ટ દ્વારા 'આશ્રમ' ની વેબ સિરીઝ સામે નોંધાયેલા કેસમાં નોટિસ ફટકારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસની આગામી સુનાવણી 11 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બોબી દેઓલ આજકાલ તેની પ્રખ્યાત વેબ સીરીઝ 'આશ્રમ'ની ત્રીજી સીઝનના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વેબ સિરીઝનું દિગ્દર્શન બોલિવૂડના જાણીતા નિર્દેશક અને નિર્માતા પ્રકાશ ઝા કરી રહ્યા છે.

આ માટે કોર્ટે જારી કરી નોટીસ
ઓનલાઇન ઓટીટી પ્લેટફોર્મ એમએક્સ પ્લેયરની લોકપ્રિય વેબ સિરીઝ 'આશ્રમ' નો ભાગ 1 અને ભાગ 2 રિલીઝ કરવામાં આવ્યો છે. દર્શકોને આ વેબ સિરીઝમાં બોબી દેઓલનો અભિનય ગમી ગયો છે. લોકપ્રિય વેબ સિરીઝ 'આશ્રમ' ને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને હવે તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોશે. જોધપુર કોર્ટની નોટિસ પછી બોબી દેઓલ અને પ્રકાશ ઝાની મુશ્કેલીઓ વધી ગઈ છે, હવે ચાહકોને 'આશ્રમ' ની ત્રીજી સીઝન માટે થોડી રાહ જોવી પડી શકે છે.

શું છે મામલો
'આશ્રમ' ની પહેલી સિઝનના રિલિઝ પછીથી આ વેબ સિરીઝ પર લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નિર્માતાઓ અને અભિનેતા બોબી દેઓલ પર આ લોકપ્રિય વેબ સિરીઝની બીજી સીઝનની રજૂઆત પછી પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકાયો હતો. આ કેસમાં જોધપુર કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે આજે સુનાવણી કરી હતી. જોકે વેબ સીરીઝના મુખ્ય કલાકારો બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાએ તમામ આરોપોને નકારી દીધા છે.

બોબી દેઓલ અને પ્રકાશ ઝાએ આપી સફાઇ
એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક ઇન્ટરવ્યુમાં બોબી દેઓલ અને પ્રકાશ ઝાએ વેબ સિરીઝ 'આશ્રમ' ને કોઈ પણ રીતે સાધુ-સંતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઇનકાર કર્યો હતો. પ્રકાશ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ વેબ સિરીઝ જાહેર ક્ષેત્રની માહિતી અને તથ્યોના આધારે બનાવવામાં આવી છે. આ સિવાય અભિનેતા બોબી દેઓલે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ વેબ સિરીઝમાં બાબાની વિરુદ્ધ એવી વાતો કરવામાં આવી છે કે જેઓ ધર્મના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે. તમને જણાવી દઈએ કે બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ' ને 400 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: મંત્રીઓના બંગલાઓ પર 90 કરોડ ખર્ચ થવા વાળી વાત ખોટી: અજીત પવાર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
