આનંદો : તારક મહેતા...માં પાછો આવી રહ્યો છે જૂનો સોઢી
મુંબઈ, 31 માર્ચ : સબ ટીવી પર પ્રસારિત થતા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો લોકપ્રિય રોલ કરનાર અભિનેતા ગુરુચરણ સિંહ ફરીથી આ શોમાં કમબૅક કરી રહ્યાં છે. તેઓ થોડાક દિવસ માટે આ શોમાંથી બહાર થઈ ગયા હતાં અને તેમના સ્થાને અભિનેતા લાડ સિંહ માન રોશન સિંહ સોઢીનો રોલ ભજવી રહ્યા હતાં, પરંતુ દર્શકોનું મનોરંજન કરવા માટે ગુરુચરણ સિંહ ફરીથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એન્ટ્રી કરી રહ્યાં છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ગુરુચરણ સિંહના કમબૅક માટે કાયદેસરનું આખુ એપિસોડ તૈયાર કરાયું છે કે જેમાં છેલ્લા બે અઠવાડિયાથી સોઢીનું પાત્ર જ ગાયબ કરી દેવાયું છે અને હવે ખુલાસો થયો છે કે સોઢીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ અપહૃત સોઢી જ લાડ સિંહના સ્થાને ગુરુચરણ સિંહ તરીકે દર્શકોની સામે આવશે.
નોંધનીય છે કે જ્યારે શોમાંથી ગુરુચરણ સિંહની બાદબાકી કરવામાં આવી હતી, ત્યારે દર્શકો નિરાશા થયા હતાં. ઉપરાંત નવા રોશન સિંહ સોઢી તરીકે જોડાયેલા લાડ સિંહ માન પણ લોકોનો વિશ્વાસ જીતવામાં બહુ વધારે સફળ થયા નહોતાં અને એટલે જ અત્યાર સુધી એકેય એપિસોડ સોઢી પર આધારિત દર્શાવવામાં આવ્યો નહોતો.
ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

લાડ સિંહ માનની બાદબાકી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગુરુચરણ સિંહના સ્થાને રોશન સિંહ સોઢીના પાત્ર તરીકે જોડાયેલા લાડ સિંહ માનને હવે હટાવી દેવાયાં છે અને તેમના સ્થાને ગુરુચરણ સિંહને પાછા લાવવામાં આવી રહ્યાં છે. જોકે રોશન સિંહ સોઢીના પત્ની તરીકે નવા જોડાયેલા પાત્રને બદલવામાં નથી આવ્યાં.

બહુ યાદ કરતો
ગુરુચરણ સિંહે પોતાના કમબૅક અંગે કહ્યું - હું હમેશા તારક મહેતા..ને યાદ કરતો હતો. કેટલાક અંગત કારણોએ મારે આ સીરિયલથી દૂર થવુ પડ્યું હતું, પરંતુ હું આ દૂરી સહન કરી શક્યો અને ફરી પાછો આવી રહ્યો છું.

અસિત મોદીનો આભાર
ગુરુચરણ સિંહે કહ્યું - હું શોના નિર્માતા અસિત મોદીનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે ફરી એક વાર મારી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મને તક આપી કે હું તારક મહેતા... સાથે જોડાઈને કામ કરું.

ફરી કરશું બલ્લે-બલ્લે
ગુરુચરણ સિંહે જણાવ્યું - હવે હું પાછો ફરી રહ્યું છું. ફરીથી આપણે સૌ મળી બલ્લે-બલ્લે કરીશું. આ સીરિયલ સાથે હું હંમેશા જોડાયેલો રહીશ, કારણ કે આ મારો પરિવાર છે.

ખાસ એપિસોડ
ગુરુચરણ સિંહના કમબૅક માટે તારક મેહતા.. શોમાં ખાસ એપિસોડ ચાલી રહ્યું છે કે જેમાં રોશન સિંહ સોઢીનું અપહરણ થયું છે અને તેનો છુટકારો થશે, ત્યારે રોશન સિંહ સોઢીના પાત્ર તરીકે લાડ સિંહ માનનું સ્થાન ગુરુચરણ સિંહ લઈ લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
