નાના પડદે સાકાર થશે વિષ્ણુનો નવમો અવતાર!
મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૌદ્ધ ધર્મના પ્રણેતા ભગવાન બુદ્ધને હિન્દૂ ધર્મમાં ભગવાન વિષ્ણુનો નવમો અવતાર કહેવામાં આવે છે અને તેમના દ્વારા ઈશ્વરના સાક્ષાત્કાર માટે કરવામાં આવેલ કઠોર તપસ્યા આજે પણ અનેક મુમુક્ષુઓ માટે પથ-દર્શક છે. ભગવાન વિષ્ણુના આ નવમા અવતાર આગામી રવિવારે નાના પડદે અવતરવા જઈ રહ્યાં છે.

હા જી, ભગવાન બુદ્ધ પર આધારિત શ્રેણી બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર શરૂ થવા જઈ રહી છે. મહત્વની બાબત એ છે કે આ સીરિયલ માટે ઝી ટીવીએ રામાયણનો સમય બદલ્યો છે. આ સીરિયલને મહાભારત અને આમિર ખાનના લોકપ્રિય શો સત્યમેવ જયતેનો ટાઇમ સ્લૉટ ફાળવવામાં આવ્યો છે.
બુદ્ધના નિર્માતા બી. કે. મોદી આ ટાઇમ સ્લૉટ ફાળવાતાં ખુશ છે. તેમણે જણાવ્યું - અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે બુદ્ધ સીરિયલ રામાયણ, મહાભારત અને સત્યમેવ જયતેના ટાઇમે પ્રસારિત થશે. બુદ્ધની ઐતિહાસિક યાત્રા લોકો પોતાના પરિવાર સાથે જોઈ શકશે.
ધર્મેશ દિગ્દર્શિત ટેલીવિઝન સીરિયલ બુદ્ધ આ રવિવારથી ઝી ટીવી ઉપર સવારે 11 વાગ્યે પ્રસારિત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
