મરતા પહેલા એકવાર પાકિસ્તાન જવા કેમ ઈચ્છતા હતા ઋષિ કપૂર? શું છે પાકિસ્તાન સાથે સંબંધ?
મરતા પહેલા એકવાર પાકિસ્તાન જવા કેમ ઈચ્છતા હતા ઋષિ કપૂર? જાણો કારણ..
બૉલિવુડ માટે 24 કલાકની અંદર વધુ એક ખરાબ સમાચાર આવ્યા જ્યારે વેટરન એક્ટર ઋષિ કપૂરે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. 67 વર્ષના ઋષિ કપૂરને બુધવારે રાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ઋષિ, જેમને પ્રેમથી લોકો ચિંટુજી કહીને બોલાવતા હતા, તેમની ઈચ્છા હતી કે તે મરતા પહેલા એક વાર પાકિસ્તાન પોતાની ખાનદાની જમીનને જુએ. તેમનુ જવુ સિનેમા જગત માટે એક મોટા ઝટકાથી કમ નથી.

વર્ષ 2017માં વ્યક્ત કરી હતી અંતિમ ઈચ્છા
દેશ હજુ બૉલિવુડ અભિનેતા ઈરફાન ખાનના જવાના શોકમાંથી નીકળી પણ નથી શક્યો અને વધુ એક ખરાબ સમાચાર આવી ગયા. ઋષિ કપૂરની એક દિલની ઈચ્છા હતા. તે મરતા પહેલા એક વાર પાકિસ્તાન જવા ઈચ્છતા હતા. વર્ષ 2017માં તેમણે આ વાત પોતાના ટ્વિટર પર લખી હતી, 'મરતા પહેલા એક વાર હું પાકિસ્તાન જોવા ઈચ્છુ છુ.' ઋષિએ આ ટ્વિટ ત્યારે કહ્યુ હતુ જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ પીઓકે વિશે નિવેદન આપ્યુ હતુ.
|
જય માતાદી અબ્દુલ્લા સાહબ!
અબ્દુલ્લાએ કહ્યુ હતુ, 'પીઓકે, પાકિસ્તાનનુ છે અને આ વાતને કોઈ બદલી ન શકે. ભલે ભારત અને પાકિસ્તાન પરસ્પર ગમે તેટલુ લડી લે.' ત્યારબાદ ઋષિએ ફારુખના આ નિવેદન પર રજામંદી પણ વ્યક્તકરી હતી. ઋષિએ ટ્વિટર પર લખ્યુ, 'ફારુખ અબ્દુલ્લાજી સલામ! હું તમારી સાથે રજામંદ છુ. જમ્મુ કાશ્મીર આપણુ છે અને પીઓકે તેમનુ છે. આ રીતે આપણે આ સમસ્યાને ઉકેલી શકીએ છે. આ સ્વીકારો. હું 65 વર્ષનો છુ અને મરતા પહેલા એક વાર પાકિસ્તાન જોવા ઈચ્છુ છુ. મરતા પહેલા હું ઈચ્છુ છુ કે મારા બાળકો તેમના મૂળ સાથે રૂબરૂ થાય. બસ કરાવી દો. જય માતાદી.'

પેશાવરમાં છે કપૂર ખાનદાનનુ ઘર
છેવટે એવુ શું હતુ જે પાકિસ્તાનમાં તેઓ એકવાર એ મુલ્કને જોવાની ઈચ્છા લઈને જીવી રહ્યા હતા. વાસ્તવમાં બૉલિવુડના ફર્સ્ટ ફેમિલી તરીકે જાણીતા કપૂર પરિવારનો પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ છે. આ પરિવારનુ એક ઘર પેશાવરમાં છે અને તેનુ નિર્માણ સન 1918થી 1922 વચ્ચે દીવાન બશેશ્વરનાથ કપૂરે કરાવ્યુ હતુ. તે ઋષિ કપૂરના દાદા પૃથ્વીરાજ કપૂરના પિતા હતા. સન 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કપૂર ખાનદાન પાકિસ્તાનથી ભારત આવી ગયુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
