વિશ્વરૂપમ રિલીઝ થઈ તો ડૅમ 999 કેમ નહીં ?
મુંબઈ, 7 ફેબ્રુઆરી : ડૅમ 999 ફિલ્મના દિગ્દર્શક સોહન રૉયે કમલ હસનની ફિલ્મ વિશ્વરૂપમને તામિળનાડુ સરકારની સ્વીકૃતિ મળતાં ખુશી વ્યક્ત કરી છે, પરંતુ તેઓ કહે છે કે તેમની ફિલ્મ ડૅમ 999ને પણ રાજ્યમાં રિલીઝ કરવાની સ્વીકૃતિ મળવી જોઇએ. તેઓ પણ ન્યાયના હકદાર છે.

નોંધનીય છે કે તામિળનાડુ સરકારે રાજ્યમાં કેટલાંક મુસ્લિમ સંગઠનોના વિરોધના પગલે વિશ્વરૂપમ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે હવે ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. રૉયે જણાવ્યું - હું કમલ માટે ખુશ છું, પરંતુ મારી કેમ અવગણના કરાઈ? મારી ફિલ્મ ડૅમ 999 બે વરસથી રિલીઝ માટે અટકેલી છે અને તામિળનાડુ સરકાર સતત આ બાબતને અવગણી રહી છે.
સોહન રૉયે પોતાના કરોડોના નુકસાનને ટાંકતા જણાવ્યું - હું કમલ હસનની ઇજ્જત કરુ છું, પરંતુ શું આપને નથી લાગતું કે હું પણ એક માણસ છું અને ન્યાયનો હકદાર છું? નવેમ્બર 2011માં દ્રવિડ મુનેત્ર કષગમ (ડીએમકે)ની ફરિયાદ બાદ રૉયની ફિલ્મ ડૅમ 999 તામિળનાડુ સરકાર દ્વારા પ્રતિબંધિત કરાઈ હતી. ડીએમકે માને છે કે તામિળનાડુ તેમજ કેરળ વચ્ચે મુલ્લાપેરિયાર બંધ વિવાદ ઉપર ડૅમ 999 ફિલ્મ આધારિત છે. ફિલ્મ 84માં એકેડેમી ઍવૉર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં નૉમિનેટ થયા છતાં તામિળનાડુ સરકારે ફિલ્મ જોવા તેમજ પ્રતિબંધ હટાવવા અંગે વિચાર કર્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
