ક્યારેક બ્રા વિશે નિવેદન તો ક્યારેક અફેર, આ છે શ્વેતા તિવારી સાથે જોડાયેલા મોટા વિવાદ!
શ્વેતા તિવારીનો વિવાદો સાથે જૂનો નાતો છે. શ્વેતા તિવારીએ 'કસૌટી ઝિંદગી કી'થી ટીવીમાં પોતાની ઓળખ બનાવી હતી. ખૂબ જ નાની ઉંમરે તેણે માત્ર પત્ની જ નહીં પરંતુ માતા અને દાદીની ભૂમિકા પણ ભજવી હતી.
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીનો વિવાદો સાથે જૂનો નાતો છે. શ્વેતા તિવારીએ 'કસૌટી ઝિંદગી કી'થી ટીવીમાં પોતાની ઓળખ બનાવી હતી. ખૂબ જ નાની ઉંમરે તેણે માત્ર પત્ની જ નહીં પરંતુ માતા અને દાદીની ભૂમિકા પણ ભજવી હતી. શ્વેતા તિવારી તેના કરિયર સિવાય તેના અંગત જીવનના કારણે ઘણી વખત સમાચારમાં રહી છે. અભિનેત્રીના નામ પર ઘણા વિવાદો છે.


શ્વેતા તિવારીના નાની ઉમરે લગ્ન થયા
શ્વેતા તિવારીના લગ્ન રાજા ચૌધરી સાથે ખૂબ નાની ઉંમરમાં થયા હતા. પરંતુ તેમનો સંબંધ 9 વર્ષ પછી તૂટી ગયો. અભિનેત્રીએ રાજા ચૌધરી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. છૂટાછેડા પછી બંને ચર્ચામાં રહ્યા હતા.

બિગ બોસ 4માં જોવા મળી હતી
શ્વેતા તિવારીએ બિગ બોસ 4માં જોવા મળી હતી. આ દરમિયાન રાજા ચૌધરી અને અભિનવ કોહલી વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. રાજા ચૌધરીએ કહ્યું હતું કે શ્વેતા તિવારી અને અભિનવ કોહલીનું અફેર તેની પીઠ પાછળ ચાલી રહ્યું છે.

બીજા લગ્ન પણ નિષ્ફળ રહ્યા
રાજા ચૌધરી સાથે છૂટાછેડા લીધા પછી શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા. પરંતુ તેમના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. અભિનેત્રીએ અભિનવ પર પણ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જો કે પલક તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે કહ્યું કે અભિનવે ક્યારેય તેની માતા પર હાથ ઉપાડ્યો નથી. આ પોસ્ટને બાદમાં પલક તિવારીએ ડિલીટ કરી દીધી હતી.

પુત્રની કસ્ટડી મામલે વિવાદોમાં રહી છે
તમને જણાવી દઈએ કે, 2019માં છૂટાછેડા બાદ પુત્ર રેયાંશની કસ્ટડી માટે શ્વેતા તિવારી અને અભિનવ કોહલી વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. અભિનવે આરોપ લગાવ્યો હતો કે તે રેયાંશને મળવા દેતી નથી. જો કે, કોર્ટે અભિનવને સપ્તાહના અંતે રેયાંશને મળવા દેવા કહ્યું હતું.

બિકીની પહેરી વિવાદ છેડ્યો હતો
શ્વેતા તિવારીએ તેની કારકિર્દી દરમિયાન સર્વાઈવર ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે બિકીની પહેરીને જંગલમાં નહાતી જોવા મળી હતી. તેના આ વીડિયોના કારણે શ્વેતા તિવારી લોકોના નિશાના પર આવી ગઈ હતી.

બ્રા મુદ્દે નિવેદન
શ્વેતા તિવારીએ તેના શો શો સ્ટોપરના લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન નિવેદન આપ્યું હતું, કે, ભગવાન મારી બ્રાનું માપ લઈ રહ્યા છે. શ્વેતા તિવારી પોતાના નિવેદનના કારણે લોકોના નિશાના પર આવી હતી. સંસ્કૃતિ બચાવો મંચે માત્ર શ્વેતા તિવારીની તસવીરો જ સળગાવી ન હતી પરંતુ અભિનેત્રી પાસેથી માફી માંગવાની પણ માંગ કરી હતી. આ કેસમાં અભિનેત્રી વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી હતી.

શ્વેતાને લગ્નમાં વિશ્લાસ નથી
શ્વેતા તિવારીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે લગ્નમાં માનતી નથી, જેના કારણે તેણે પુત્રીને લગ્ન ન કરવાની સલાહ આપી હતી. શ્વેતા તિવારીએ કહ્યું કે તે પોતાની દીકરી પર કોઈ દબાણ નથી કરતી. સાથે જ તેણે દીકરી પલકને કહ્યું કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એક વાર વિચારવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
