ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ સુશાંતની હત્યા થઈ છે, બતાવ્યા 26 મોટા કારણો
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર 26 કારણોનુ એક લિસ્ટ તૈયાર કર્યુ છે. તેમણે કહ્યુ છે કે તેમને એવુ લાગે છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે.
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુંબઈ પોલિસ છેલ્લા દોઢ મહિનાથી તપાસ કરી રહી છે પરંતુ પોલિસના હાથ હજુ પણ ખાલી છે. ત્યારબાદ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં એફઆઈઆર નોંધાવી છે ત્યારબાદ બિહાહ પોલિસની ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. આ દરમિયાન ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર 26 કારણોનુ એક લિસ્ટ તૈયાર કર્યુ છે. સાથે જ તેમણે કહ્યુ છે કે તેમને એવુ લાગે છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે.

જણાવ્યા 26 મોટા કારણ
સુબ્રમણ્યમ સ્વામીએ જે લિસ્ટ શેર કર્યુ છે તેમાં પોઈન્ટના હિસાબે આત્મહત્યા અને હત્યાની થિયરી બતાવવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર જો સુશાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ નહોતા કરી રહ્યા અને ડિપ્રેશનમાં હતા તો પણ એવુ બની શકે છે કે તેમની હત્યા કરવામાં આવી હોય. તેની પાછળનુ કારણ સ્થળ, તેમના ગળા પર મળેલ નિશાન, કપડાનો ઉપયોગ, શરીર પર મળેલા નિશાન, રૂમની ડુપ્લીકેટ ચાવી ગાયબ થવી, તેમની મેનેજર દિશાની આત્મહત્યા, સિમ કાર્ડ બદલવુ, આર્થિક મુશ્કેલી ન હોવી, નોકરોનુ વારંવાર નિવેદન બદલવુ વગેરે જણાવવામાં આવ્યુ છે.

પ્રધાનમંત્રીને પણ લખ્યો હતો પત્ર
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે જો બિહાર પોલિસ સુશાંત સિંહ રાજપૂતના અપ્રાકૃતિક મોતની તપાસ માટે ગંભીર છે તો સીબીઆઈ તપાસનો કોઈ વિકલ્પ નથી કારણકે બે રાજ્યોની પોલિસ એક જ ગુનાની અલગ અલગ તપાસ ન કરી શકે. આ પહેલા તેમણે સીબીઆઈ તપાસની માંગ કરતો એક પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ લખ્યો હતો જેમના પર પ્રધાનમંત્રીએ જાણવાજોગ લીધુ છે.
|
બિહાર સીએમને સીબીઆઈ તપાસથી કોઈ વાંધો નથી
બુધવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે મે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે ફોન કરીને વાતચીત કરી છે. મે પટના પોલિસ અને એફઆઈઆર તેમજ વિસ્તૃત તપાસની ખુલ્લી છૂટ આપવા અંગેની પણ પ્રશંસા કરી છે કારણકે બે તપાસ ચાલી રહી છે, હું સીબીઆઈ તપાસની પહેલ કરીશ. આના પર નીતિશ કુમારે તેમને કહ્યુ કે તેમને કોઈ વાંધો નથી, તે ઈચ્છે છે કે સુશાંતને ન્યાય મળે અને દોષિતો સામે કાર્યવાહી થાય. તમને જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામી આ કેસમાં ઘણા સમયથી સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
