Video: શાહરુખ ખાન 'જવાન' માટે પ્રાર્થના કરવા પહોંચ્યા વેંકટેશ્વર મંદિર, સુહાના અને નયનતારા પણ સાથે
Shah Rukh Khan Tirupati: બૉલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન હાલમાં તેની આગામી ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ ધમાકેદાર રીતે ચાલી રહ્યું છે જેને જોઈને લોકો પહેલાથી જ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે.
ફિલ્મ નિર્માતાઓને આશા છે કે ફિલ્મ તેના શરૂઆતના દિવસે જ જાદુ સર્જશે. કિંગ ખાન પણ પોતાની ફિલ્મની સફળતા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. શાહરૂખ ખાન ફિલ્મના પ્રમોશનથી લઈને ભગવાનના શરણમાં જઈને પ્રાર્થના પણ કરી રહ્યા છે.

ફિલ્મને સફળ બનાવવા માટે ફિલ્મના મુખ્ય હીરો શાહરૂખ ખાન પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા માટે જમ્મુ પહોંચ્યા હતા અને હવે તે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં જોવા મળ્યા છે. અહીં તેમણે શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી અને ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા. આ અવસર પર તેની પુત્રી સુહાના અને 'જવાન'ની લીડ એક્ટ્રેસ નયનથારા પણ તેની સાથે હાજર હતી.
વેંકટેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન કરતા શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન સાથે તેની પુત્રી સુહાના ખાન પણ જોવા મળી રહી છે. આ સાથે ફિલ્મ 'જવાન'ની લીડ એક્ટ્રેસ નયનથારા પણ જોવા મળી રહી છે. બધાએ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી અને ફિલ્મને સફળ બનાવવા માટે ભગવાનને પ્રાર્થના પણ કરી.
શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એક્શનથી ભરપૂર છે જેનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ત્રણ દિવસ પહેલા શરૂ થયું હતું અને અહેવાલ છે કે અત્યાર સુધીમાં શરૂઆતના દિવસના લગભગ તમામ શો 70%થી વધુ બુક થઈ ગયા છે.
ફિલ્મ 'જવાન' હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત સાઉથની જાણીતી અભિનેત્રી નયનથારા અને એક્ટર વિજય સેતુપતિ પણ જોવા મળશે. જ્યારે થલપથી વિજય, દીપિકા પાદુકોણ અને સંજય દત્ત આ ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું જોરદાર એડવાન્સ બુકિંગ ઉત્તર ભારતની સાથે સાથે દક્ષિણ ભારતમાં પણ થઈ રહ્યું છે. ફિલ્મનું ટ્રેલર 31 ઓગસ્ટ 2023ના રોજ રીલિઝ થયું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.
#WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv
— ANI (@ANI) September 5, 2023












Click it and Unblock the Notifications
