નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના આ વર્ષે થશે લગ્ન! વિદેશમાં લેશે સાત ફેરા, સામે આવી વિગતો
Naga Chaitanya Sobhita Dhulipala Marriage: સામંથા રૂથ પ્રભુથી છૂટાછેડા લીધાના 3 વર્ષ પછી નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી. બંને લાંબા સમયથી તેમની ડેટિંગની અફવાઓને લઈને ચર્ચામાં હતા. આ દરમિયાન તેમના લગ્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ લાંબા સમયથી તેમના સંબંધોને ખાનગી રાખ્યા હતા. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે તેમની સગાઈના સમાચાર આવ્યા, ત્યારે સામંથા રૂથ પ્રભુના ચાહકો ખૂબ ગુસ્સે થઈ ગયા. જો રિપોર્ટસ માનીએ તો આ કપલ જલ્દી લગ્ન કરી શકે છે.

ન્યૂઝ 18 તેલુગુના અહેવાલ મુજબ, નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા આ વર્ષના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અથવા તો આ કપલ આવતા વર્ષે માર્ચ 2025માં પણ લગ્ન કરી શકે છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કપલે લગ્ન સ્થળ તરીકે હૈદરાબાદને પસંદ કર્યું છે.
Koimoiના રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે નાગા અને શોભિતા વિદેશમાં પણ પોતાનું ડેસ્ટિનેશન શોધી રહ્યા છે. જ્યાં કપલના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો હાજરી આપશે. કપલના લગ્નના તમામ ફંક્શન લગભગ 7 દિવસ વિદેશમાં ચાલશે અને તે પછી તેઓ હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. જો કે હજુ સુધી નાગા અને શોભિતા તરફથી લગ્નની તારીખને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે આ પહેલા નાગા ચૈતન્યએ 2017માં સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા હતા. કપલના લગ્નના તમામ ફંક્શન ગોવામાં થયા હતા. પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને વર્ષ 2021માં બંનેના છૂટાછેડા થઈ ગયા. જો કે હવે બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. નાગાર્જુને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે આ છૂટાછેડાને કારણે નાગા ચૈતન્ય લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો. પરંતુ હવે તેમના જીવનમાં ફરી ખુશીઓ આવી છે.












Click it and Unblock the Notifications
