ભાગવતના નિવેદન પર ભડકી મિની માથુરઃ બધા અભણ જ રહો, પછી ડિવોર્સ નહિ થાય
બોલિવુડના જાણીતા નિર્દેશક કબીર ખાનની પત્ની અને પૂર્વ વીજે મિની માથુરે ભાગવતના નિવેદનની ટીકા કરી છે.
એક વાર ફરીથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પોતાના એક વિવાદિત નિવેદન માટે ચર્ચામાં છે જેમાં તેમણે કહ્યુ હતુ કે એજ્યુકેશનના કારણે લોકોમાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે. તેમના આ નિવેદન પર અમુક લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. બોલિવુડના જાણીતા નિર્દેશક કબીર ખાનની પત્ની અને પૂર્વ વીજે મિની માથુરે ભાગવતના નિવેદનની ટીકા કરીને કહ્યુ છે કે તો પછી બધાએ ભણવુ જ ના જોઈએ, બધા અભણ જ રહીએ, તો બધા સારુ રહેશે.
|
‘બધા અભણ જ રહો, પછી ડિવોર્સ થશે જ નહિ'
મિની માથુરે ટ્વિટર પર લખ્યુ હતુ કે ચાલો આપણે બધા અભણ રહીએ અને આર્થિક રીતે ગરીબ રહીએ, કમસે કમ ડિવોર્સ તો નહિ હોય પ્રાથમિકતા. મિનીનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બનેલુ હતુ જો કે આના પર રિએક્શન વધુ આવવા લાગ્યા તો મિનીએ આ ટ્વિટ હટાવી દીધુ.

અભિનેત્રી સોનમ કપૂરે પણ ભાગવતા નિવેદનની નિંદા કરી હતી
મિની માથુર પહેલા અભિનેત્રી સોનમ કપૂરે પણ મોહન ભાગવતના નિવેદનની નિંદા કરી હતી. તેણે ટ્વિટર પર લખ્યુ હતુ કે કોઈ સમજદાર વ્યક્તિ કેવી રીતે આ પ્રકારની વાત કરી શકે છે. એકદમ મૂર્ખતાપૂર્ણ અને પછાત વિચારો વ્યક્ત કરતુ વિચિત્ર નિવેદન છે આ.

શું કહ્યુ હતુ મોહન ભાગવતે?
RSSના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યુ હતુ, વર્તમાન સમયમાં ડિવોર્સના કેસ સતત વધી રહ્યા છે, ડિવોર્સના કેસમાં શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ છે, આનુ કારણ છે કે શિક્ષણ અને સંપન્નતાથી લોકોમાં અહંકાર આવે છે જેનુ પરિણામ પરિવારોનુ તૂટવુ છે, પરિવાર તૂટવાથી સમાજ વિખેરાય છે કારણકે સમાજ પણ એક પરિવાર છે, ભારતમાં હિંદુ સમાજનો કોઈ વિકલ્પ નથી.

‘મારા પતિ મુસ્લિમ છે, હું કાયસ્થ છુ, બાળકોનો ધર્મ શું હશે ખબર નથી'
થોડા સમય પહેલા પણ મિની માથુર પોતાનાએ નિવેદન માટે ચર્ચામાં હતી જેમાં તેણે કહ્યુ હતુ કે તેના પતિ ફિલ્મકાર કબીર ખાન (બજરંગી ભાઈજાન, એક થા ટાઈગર જેવી ફિલ્મોના નિર્દેશક) નાસ્તિક છે, જેમને માથુર સમાજમાં મુસલમાનોથી પણ ખરાબ માનવામાં આવે છે, બીજા ધર્મમાં લગ્ન માટે રૂઢિવાદી વિચારો હોવાના પ્રશ્ન પર મિની માથુરે કહ્યુ હતુ કે મને લાગે છે કે અત્યારે સંપ્રદાયવાદ પર જોર દેવામાં આવી રહ્યુ છે, ધર્મ વિશે વધુ વાતો થઈ રહી છે, મને લાગે છે કે આગલી પેઢી માટે ધર્મ અને ધાર્મિક વાતોનો કોઈ મતલબ નહિ રહે, મારા પતિ મુસ્લિમ છે અને હું કાયસ્થ છુ, અમારા બાળકોનો ધર્મ શું હશે, નથી જાણતી, જેમ-જેમ તેમનામાં વિશ્વાસ, દેશપ્રેમ અને નિષ્ઠા જાગશે તો કોઈને તેમને તેમનો ધર્મ ન પૂછવો જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
