મીટુમાં આલોકનાથ પર લાગેલા આરોપ પર માધુરી, ‘હું તેમને જાણીને પણ અજાણ રહી'
માધુરી દીક્ષિતે આલોકનાથ અનને સૌમિક સેન સામે મીટુ હેઠળ લાગેલા યૌન શોષણના આરોપોને પોતાના માટે ચોંકાવનારા ગણાવ્યા હતા.
માધુરી દીક્ષિતે આલોકનાથ અનને સૌમિક સેન સામે મીટુ હેઠળ લાગેલા યૌન શોષણના આરોપોને પોતાના માટે ચોંકાવનારા ગણાવ્યા હતા. દીક્ષિતે કહ્યુ કે તે આ બંને સામે લાગેલા આરોપોથી આશ્ચર્યચક્તિ હતી કારણકે તેમને આ લોકો પર આવા આરોપની અપેક્ષા નહોતી. નાથ અને સેન સામે ગયા વર્ષે મી ટુ અભિયાન હેઠળ યૌન શોષણના આરોપ લગાવવામાં આવ્યા હતા. બંને સાથે માધુરીએ કામ કર્યુ છે.

આ બોલી માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિતે આલોકનાથ અને ફિલ્મ નિર્માતા સૌમિક સેન પર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ કે આમના નામ મીટુ અભિયાનમાં આવવાથી તેમને દુખ થયુ હતુ. આ હંમેશાથી ચોંકાવનારુ હોય છે કારણકે તમે તેમને જાણતા તો હોવ પરંતુ એ રીતે ન જાણતા હોય. તેમની જિંદગીના એ પહેલુથી અજાણ હોવ છો. માધુરીએ કહ્યુ, તમે તેમને કેટલા જાણતા હતા અને કેટલા જાણી રહ્યા છો, આ બે અલગ અલગ વાતો છે. આ બહુ ચોંકાવનારો મામલો હતો.

આલોકનાથ અને સેન સાથે કામ કરી ચૂકી છે દીક્ષિત
ગયા વર્ષે ઓગસ્ટમાં મીટુ અભિયાનાં લેખક અને નિર્દેશક વિંતા નંદાએ આલોકનાથ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. સૌમિક સેન પર પણ ત્રણ મહિલાઓએ અનુચિત વ્યવહારના આરોપ લગાવ્યા હતા. આ મામલો ઘણો ચર્ચામાં રહ્યો. નંદાએ આલોકનાથ સામે રેપનો મામલો પણ નોંધાવ્યો. દીક્ષિત આલોકનાથ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વળી માધુરીએ સૌમિક સેનની ફિલ્મ ગુલાબી ગેંગમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

‘ટોટલ ધમાલ' માં દેખાશે માધુરી
માધુરી દીક્ષિત હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ટોટલ ધમાલ'ના પ્રમોશનમાં બિઝી છે. ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ગુજરાતી કપલનો રોલમાં છે. ફિલ્મમાં આ બંને સાથે અજય દેવગણ, અરશદ વારસી, જાવેદ જાફરી પણ લીડ રોલમાં છે. ફિલ્મને ઈન્દ્ર કુમારે ડાયરેક્ટ કરી છે કે જે ‘ધમાલ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. આ 2007માં આવેલી ‘ધમાલ' અને ‘ડબલ ધમાલ'ની સિક્વલ છે. અનિલ અને માધુરી 18 વર્ષ બાદ કોઈ ફિલ્મમાં સાથે દેખાશે. બંને 2000માં આવેલી ફિલ્મ ‘પુકાર' માં સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બંનેએ ફિલ્મ લજ્જામાં કામ કર્યુ હતુ પરંતુ સાથે તેમનો કોઈ સીન નહોતો. અનિલ અને માધુરી એક ડઝનથી વધુ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આમાં ધારાવી, ખેલ, બેટા, જમાઈ રાજા, રામ લખન, તેઝાબ, હિફાજત, ઘરવાલી બહારવાલી અને રાજકુમાર જેવી ફિલ્મો છે.

રાજકારણમાં આવવાની પણ ચર્ચા
થોડા સમય પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહની માધુરી દીક્ષિત સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ આ પ્રકારના સમાચારો પણ આવી રહ્યા છે કે માધુરી આ વખતે ચૂંટણી લડી શકે છે. તેમના પૂણેથી ચૂંટણી લડવાની ચર્ચાઓ ઘણી ગરમ છે જો કે તેમના તરફથી આ વાતનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે હાલમાં તેમનો ચૂંટણીમાં ઉતરવાનો કોઈ ઈરાદો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
