કંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થશે
બોમ્બે હાઈ કોર્ટે કંગના રણૌતની ઑફિસમા તોડફોડના મામલાની સુનાવણી માટે 22 સપ્ટેમ્બરની તારીખ આપી છે.
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે કંગના રણૌતની ઑફિસમા તોડફોડના મામલાની સુનાવણી માટે 22 સપ્ટેમ્બરની તારીખ આપી છે, આ સુનાવણીમાં BMCના વકીલે કહ્યું કે કોર્ટના આદેશ બાદ બીએમસીનું બધું કામ અટકી ગયું છે તો ત્યાં જ કંગનાના વકીલ રિજવાન સિદ્દીકીએ કહ્યું કે કેટલાય તથ્યો ઑન રેકોર્ડ લાવવાની જરૂરત છે, ફાઈલ તૈયાર કરવા માટે મારે સમયની જરૂરત છે કેમ કે મારા ક્લાયન્ટ હજી કાલે જ મુંબઈ આવ્યા છે, જે બાદ કોર્ટે સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે અને એમ પણ કહ્યું કે 22 તારીખ સુધી કંગનાની ઑફિસમાં કોઈ તોડફોડ નહિ થાય.

હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટળી
જણાવી દઈએ કે બુધવારે જ હાઈકોર્ટે મુંબઈ સ્થિત મણિકર્ણિકા ફિલ્મ્ઝ ઑફિસમાં ગેરકાયદેસર નિર્માણ તોડવા પર રોક લગાવી દીધી હતી, જો કે બીએમસીએ પહેલા જ પોતાની કાર્યવાહી પૂરી કરી લીધી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલ સુનાવણીમાં અદાલતે ફેસલો સંભળાવ્યો હતો, સાથે જ બોમ્બે હાઈકોર્ટે આ મામલે આજે બપોરે ત્રણ વાગ્યે ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો અને અદાલતમાં બીએમસીને જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યું હતું.

કંગના વિરુદ્ધ મુંબઈના સ્ટેશનમાં ફરિયાદ
જ્યાં એક તરફ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ એક વકીલે કંગના વિરુદ્ધ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ તેના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અભદ્ર ભાષા બોલવાનો આરોપ લગાવ્યો છે.

કંગનાએ સીએમ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો
બોમ્બે હાઈકોર્ટના વકીલ નીતિન માનેએ પોતાની ફરિયાદમાં કહ્યું કે કંગનાએ બુધવારે બીએમસીની કાર્યવાહી બાદ એક વીડિયો જાહેર કર્યો હતો. જમાં તેણે કહ્યું કે, "ઉદ્ધવ ઠાકરે તને શું લાગે છે કે તું ફિલ્મ માફિયા સાથે મળી મારું ઘર તોડી બહુ મોટો બદલો લીધો... આજે મારું ઘર ટૂટ્યું છે કાલે તારું ઘમંડ ટૂટશે. આ સમયનું પૈડું છે યાદ રાખજો હંમેશા એક જેવો નહિ રહે." માને મુજબ આ વીડિયોમાં કેટલીયવાર સીએમ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. જેને આધાર બનાવી ભારતીય દંડ સંહિતાની કલમ 499 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.

આવા પ્રકારની ફરિયાદ મનમાં શંકા પેદા કરે
જણાવી દઈએ કે કંગનાને આ મુદ્દે જ્યાં ભાજપ અને આરએસએસનો સાથ મળ્યો છે, ત્યાં જ બીજી તરફ સીએમ ઉદ્ધવ ઠાકરેના ખુદનાઓએ જ તેમને એકલા છોડી દીધા છે, બીએમસીની કાર્યવાહી પર શરદ પવારે કહ્યું કે મને તેમના કાર્યાલયના સંબંધમાં આવી કોઈ જાણકારી નથી, પરંતુ મેં સમાચાર પત્રમાં વાંચ્યું કે આ ગેરકાયદેસર રીતે નિર્માણ થયું હતું. જો કે મુંબઈમાં અનાધિકૃત નિર્માણ નવું નથી, જો બીએમસી નિયમાનુસાર કાર્ય કરી રહી છે, તો આ યોગ્ય છે. હાલની સ્થિતિમાં આવા પ્રકારની કાર્યવાહી લોકોના મનમાં શંકા પેદા કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
