TMKOC: આસિત મોદી સાથે સમાધાન કરવા તૈયાર હતી જેનિફર, ગુરુચરણસિંહે કર્યો મોટો ખુલાસો
TMKOC: લોકપ્રિય સિટકોમ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે ગયા વર્ષે નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે તેના પર જાતીય સતામણી સહિત અન્ય કેટલાક આરોપો પણ લગાવ્યા હતા.
આ સિવાય જેનિફરે આ શો સાથે જોડાયેલા કેટલાક અન્ય લોકો વિશે પણ કેટલાક ખુલાસા કર્યા હતા. હવે ગુરુચરણ સિંહે આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
બંનેના મામલાને ઉકેલવાનો પ્રયાસ કર્યો - ગુરુચરણ સિંહે સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી.
આ સાથે તેણે એ પણ જણાવ્યું કે, તારક મહેતા કા ઉલટા ચશ્મા શો તેણે છોડ્યો ન હતો, પરંતુ તેને હાંકી કાઢવામાં આવી હતી.

ગુરુચરણ સિંહે જણાવ્યું હતું કે, હું જેનિફર જીને મળ્યો હતો. તેની સાથે ઘણી વાતો કરી. હું પણ અસિતભાઈ પાસે જતો કારણ કે મારી પાસે તેમની પાસેથી કેટલીક વસ્તુઓ હતી. હું બંનેને મળવાની કોશિશ કરતો.
ગુરુચરણ સિંહે જણાવ્યું હતું કે, પછી કંઈક એવું થયું કે, મને લાગ્યું કે મારે આ બાબતનો ઈશ્યુ ન બનવો જોઈએ. કારણ કે, કેટલીકવાર મદદ કરવા જનાર નિર્દોષમાંથી દોષિત બની જાય છે.
અભિનેતાએ જણાવ્યું હતું કે, થોડા સમય પછી તેને લાગ્યું કે, તે આ બંનેની બાબતમાં બિનજરૂરી રીતે અટવાઈ ગયો છે. જ્યારે તેઓ ઇચ્છતા હતા કે, ગમે તે બાબતનો ઉકેલ આવે.
ગુરુચરણ સિંહે પણ જણાવ્યું હતું કે, જેનિફર મામલો ઉકેલવા તૈયાર હતી, પરંતુ અસિત મોદી મામલો ઉકેલવા તૈયાર ન હતા.
દિશા વાકાણીએ પરત ફરતી વખતે આ વાત કહી - ગુરુચરણસિંહે જણાવ્યું હતું કે, જ્યારે દિશા વાકાણીએ શો છોડ્યો, ત્યારે કોઈને ખરાબ લાગ્યું ન હતું. કારણ કે, તેમના ઘરે લગ્નનો માહોલ હતો, તેથી બધા ખુશ હતા.
ગુરુચરણસિંહે જણાવ્યું હતું કે, જે બાદમાં તેણે પરત આવવા માટે પણ ફોન કર્યો હતો. તેણી પાછી આવવાની હતી, પરંતુ છેલ્લી ક્ષણે કંઈક થયું અને તે પાછી ન આવી હતી.
અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ દિલીપ જોશી વિશે મોટો ખુલાસો કર્યો અને જણાવ્યું હતું કે, તેણે એકવાર બધાને શો છોડવાની ધમકી આપી હતી. જેનિફરે બોલીવુડ થીકાનાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો.
જેમાં તેણે શોની જ એક ઘટના યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, કેવી રીતે દિલીપ જોશીની શોના ઓપરેશન હેડ સોહેલ રહેમાની સાથે ખતરનાક લડાઈ થઈ હતી.
આના પરિણામો ખૂબ જ ખરાબ હતા. આ વાતનો ખુલાસો કરતી વખતે જેનિફરે જણાવ્યું હતું કે, આ લડાઈની અસર એવી હતી કે દિલીપ જોશી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા, અને તેમને શો છોડવાની વાત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
